SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૭ પાપ પ્રતિપક્ષ ન થયો? (ઉત્તર) એ તો બેય પ્રતિપક્ષ છે. પરમાર્થની પુણ્ય-પાપ એક જ વાત (કોટિના) છે. પુણ્ય-પાપ (બંને) બંધનું જ કારણ છે. “પ્રવચનસાર” ગાથા-૭૭માં કહ્યું ને...! બહુ કથન કરતાં કરતાં ત્યાં (ઉપસંહાર કરતાં) કહ્યું કેઃ “ દિ મુવિ નો વં સ્થિ વિસેસો ત્તિ પુOUTUાવાના હિંદ્રિ ઘોરમપારં સંસાર મોદ સંછો ” –એ રીતે બેય બંધનું કારણ છે, બંને ઝેર છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ છતાં એમાં ફેર માને છે એટલે કે તફાવત નથી એમ જે નથી માનતો, તે “હિંડરિ ઘોરમાર સંસાર” ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. આહા... હા! આ પુણ્ય છે, એનું ફળ સ્વર્ગ છે, તો સ્વર્ગમાં રાગ આવે છે અને દુઃખી છે; અને પાપ-ફળમાં પણ દુઃખી છે; ત્યાં જેનું ફળ દુ:ખ છે તેમાં ભેદ પાડવો કે આ પુણ્ય ઠીક છે, અને આ પાપ અઠીક છે–એમ તમે ક્યાંથી લાવ્યા? એ “પરમાત્મપ્રકાશ” [ (દ્વિતીય મહાધિકાર ની) ગાથા-પ૫ ] માં પણ છે. “(જે જીવ પુણ્ય અને પાપ બંનેને સમાન માનતો નથી તે જીવ મોહથી મોહિત થતો થકો દીર્ઘકાળ સુધી દુઃખ સહુતો થકો સંસારમાં ભમે છે.) –શુભ કંઈ વિશેષ નથી. પુણ્ય અને પાપ બેય સંસાર છે અને બેઉનું ફળ સંસાર છે. એવું ન માને તો “હિંડવિ ઘોરમપાર સંસાર” એવી વાત છે, પ્રભુ ! માર્ગ તો આવો છે! આહા.... હા! લોકોને વ્યવહારમાં પરની રુચિ છે, તેથી આ સત્ય વાત બેસતી નથી ! પરમાર્થવચનિકા”- “મોક્ષમાર્ગપ્રકાશક' માં છપાવ્યું છે, તેમાં કહ્યું છે કે એને (મૂઢ જીવને) એમ લાગે છે કેઃ આગમનો વ્યવહાર સુગમ છે. એટલે લોકો આ વ્રત પાળવા, ભક્તિ ( આદિની ક્રિયાઓ) કરવી, એ વ્યવહાર કરે છે, પણ એને અધ્યાત્મના વ્યવહારની ખબર નથી. એવું લખ્યું છે. અધ્યાત્મનો વ્યવહાર તો વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પણ લોકોને આગમનો વ્યવહાર સુલભ છે તેથી કરે છે. ત્યાં આવે છે ને....! “હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું-અન્યપણું સાંભળોઃ જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહીં. શા માટે ? તે સાંભળોઃ મૂઢજીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે, [ અર્થાત દયા, દાન, વ્રત, ભક્તિ અને તપસ્યાના ભાવને એટલે કે આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને તિને નિશ્ચય કર્યું છે. તેથી તે આગમ-અંગને એકાંતપણે સાધીને મોક્ષમાર્ગ દર્શાવે છે. અધ્યાત્મ-અંગને (વ્યવહારથી ) પણ જાણે નહીં. આહા... હા! અધ્યાત્મ-અંગને વ્યવહારથી પણ જાણે નહીં કે “વ્યવહાર શો' ? એ “પ્રવચનસાર” ગાથા-૯૪માં આવ્યું છે ત્યાં દયા, દાન, વ્રતાદિ વ્યવહાર, એ મનુષ્યવ્યવહાર છે અને અનુભવ-દષ્ટિ-સ્થિરતા (રૂપ) વીતરાગીદશા, એ આત્મવ્યવહાર છે. અહીં (પરમાર્થવચનિકા” માં) એ કહ્યું ને...! “આગમપદ્ધતિ સહેલી (સુગમ ) છે.” એવું એવું તો અનંતવાર કર્યું છે-શરીરથી બ્રહ્મચર્ય પાળવું, વ્રત લેવાં, તપસ્યા કરવી, ઊણોદરી, રસપરિત્યાગ, આદિ બધું તો અભવ્ય પણ અનંતવાર કરે છે. એ અજ્ઞાનીમૂઢ અધ્યાત્મ-અંગને વ્યવહારથી પણ જાણે નહીં અને આગમ-અંગને એકાંતપણે સાધીને મોક્ષમાર્ગ દર્શાવે છે. આહા... હા! “શાથી? કારણ કે આગમ-અંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, [ અર્થાત્ એ માણસને દેખાય છે કે આ ત્યાગી થયો, વ્રત પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે, ગૃહસ્થાશ્રમ છોડયો,) તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢજીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે; (પણ) અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતદષ્ટિગ્રાહ્ય છે, તે ક્રિયા મૂઢજીવ જાણે નહીં.” એટલે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy