SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૦૮ – ૧૨૫ (તે) એમ જ છે, પ્રભુ! જુવાન માણસોને એ ન રુચે તો (મને માફ કરજો). આચાર્ય જેવા મુનિ, વીતરાગી સંત એમ કહે છે કે આ મેં બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી–બ્રહ્મ અર્થાત્ આત્મા, એમાં ચરવું-આનંદમાં રહેવું, એ બ્રહ્મચર્ય છે. આ તમારા ભોગ-ઉપભોગ તો મહાપાપ, દુર્ગતિનાં કારણ છે. તો એવી વ્યાખ્યા સાંભળીને, હે બંધુઓ! હે યુવાનો! તમને ન રુચે તો હું મુનિ છું મને માફ કરજો. આહા... હા! ગજબ વાત કરે છે ને...! મારી પાસે (બીજું) શું હોય બાપુ! અમે તો બ્રહ્મ અર્થાત્ આત્માનંદ. એમાં રમવું એને બ્રહ્મચર્ય કહીએ છીએ. તો તારું શરીરથી બ્રહ્મચર્ય પાળવું, એ વાત તો ક્યાંય રહી ગઈ, એ તો શુભ છે અને શરીરથી ભોગ લેવો, એ તો મહાપાપ, (એ પણ ) દૂર રહી ગયું. તો પણ જેને એ ગમતું હોય, વિષયના પ્રેમમાં ફસાઈ ગયા હોય ને મારી આ વાત તમને કડક એટલે ઠીક ન લાગે, તો પ્રભુ ! (માફ કરજો). છે ને....! જુઓઃ “યુવતિસંપાતિવર્ગન95 પ્રતિ મુમુક્ષુનને મળતું મા સુરત૨/૧/સમુદ્રતા નાના: 9ત મા ધમત્ર મુનીમજીયા” [ – “પદ્મનંદિપંચવિંશતિકા' , બ્રહ્મચર્યાષ્ટક, અધિ. ર૬, ગાથા-૯] આહા.... હા ! પદ્મનંદિ આચાર્ય, મુનિ, મહાસંત (ફરમાવે છે કે.) હે મુમુક્ષુ! મોક્ષની પ્રાપ્તિના અભિલાષી છે તે મનુષ્યો માટે મેં યુવતીના સંગને, જુવાન યુવતી સ્ત્રી-શરીર એવા સંગને, નિષેધ કરવાવાળા “બ્રહ્મચર્યાષ્ટક' નું વર્ણન કર્યું છે, પરંતુ જે મનુષ્ય ભોગરૂપી રાગ-સમુદ્રમાં ડૂબેલા છે, તે આ અષ્ટકના અર્થને સમજી નહીં શકે, તો તેઓ મને મુનિ જાણીને ક્ષમા કરે. આહા... હા! મુનિ છે! મુનિ કેવા કહેવાય છે? કે: જેને વાસના (રૂપી) હાથીના કુંભસ્થળને છેદી નાખ્યો છે અને આનંદની રમતો માંડી છે, અંદરમાં આનંદ સાથે-પ્રભુ સાથે (કલિ કરે છે, તે મુનિ છે ). એ મુનિ એમ કહે છે કે મેં બ્રહ્મચર્યની વ્યાખ્યા તો કરી, (પણ હે બંધુઓ! યુવતી-જુવાન સ્ત્રીના સંગમાં તમને પ્રેમ હોય તો આ વાત તમને ન રુચે (તો), હું તો મુનિ છું, ક્ષમા કરજો ભાઈ ! આહા... હા ! એમ આ દષ્ટિનો વિષય (જે) જીવાસ્તિકાય ભગવાન ત્રિકાળ (છે), તેમાં અશુભરાગ તો નથી, શુભરાગ તો નથી અને ભેદ પણ નથી એ સમ્યગ્દર્શનનો વિષય; અને એના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. બીજી કોઈ ચીજ (રીત) નથી. સમજાણું કાંઈ ? આહા... હા ! કઠણ પડે, મોંઘો પડે... પણ પ્રભુ! માર્ગ આ છે! બીજો કોઈ માર્ગ નથી, ભાઈ ! એમાં “વ્યભિચારનું સેવન કરવું’ એ વાણી વીતરાગની નથી! અહીંયાં કહે છે: કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર (છે). બે બોલ થયા. સંયમ અને જ્ઞાનની મૂર્તિ અને ચારિત્રને માટે આ કામને ભેદનાર) કહ્યું. પહેલાં સંયમ એ સમુચ્ચય લીધું. પણ પછી આ નિશ્ચયચારિત્રનો-પ્રતિક્રમણનો અધિકાર છે ને.! (તો કહે છે:-) કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન (છે)” આહા... હા ! નિમિત્તથી કથન છે ને....! “શિષ્યરૂપી કમળને વિકસાવવામાં” જેમ સવારમાં કમળ વિકસિત થાય છે તો સૂર્ય નિમિત્ત છે; તેમ શિષ્યના જ્ઞાનના વિકાસમાં, (હે) ભગવાન ! આપ સૂર્ય સમાન નિમિત્ત છો. નિમિત્તનો અર્થ એ નિમિત્ત (બીજામાં) કંઈ કરતું નથી. પણ નિમિત્ત છે (ખરું). “–એવા હે વિરાજમાન (શોભાયમાન) માધવસેનસૂરિ ! તમને નમસ્કાર હો.” હું નિશ્ચયચારિત્ર અધિકારનું વર્ણન કરું છું તે પહેલાં (હું) ગુરુ ! તમને સ્મરણ કરીને, આપને નમસ્કાર કરું છું. આહા... હા ! હે માધવસેનસૂરિ! આપ ચારિત્રની મૂર્તિ, આપને નમસ્કાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy