SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે સમ્યકત્વપરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે. આહા... હા! અંદર (ટકામાં) પાઠ એવો છે: સચ સત્ત્વપરિણામચ વાહ્યસદારિવાર वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षुवः તેડયુવીરત:”—મુમુક્ષુને પણ ઉપચારથી-મુમુક્ષુ કોણ? –અન્ય સમકિતીજીવ. તેમને પણ પાર્થનિર્ણયહેતુત્વીતુ સંતરાતવ રૂત્યુતા:” – ‘૩૫વીરત:' (કેમ કે) બાહ્ય છે ને....! તે છે. તો બંને ઉપચાર. પણ (૧) શ્રુતના શબ્દને બાહ્ય સહકારી કહ્યા અને (૨) એના ( જ્ઞાનીના) આત્માને ઉપચારથી અંતરંગ હેતુ કહ્યા. સમજાણું કાંઈ ? આવી વસ્તુસ્થિતિ છે, ભાઈ ! જિજ્ઞાસા: જ્ઞાનીનો જે આશય છે, એને અંતરંગ હેતુ કહ્યો? સમાધાન: એનો (જ્ઞાનીનો) આશય છે ને..! એનો કહેવાનો જે ભાવ છે, તે ભાવ એને (મુમુક્ષુને) સમજવામાં આવે છે. આવે છે (સમજવામાં) પોતાથી. પણ એમાં એનું (એ જ્ઞાનીના આત્માનું) નિમિત્તપણું છે. એના અભિપ્રાયને નિમિત્ત, (તેને) અંતરંગ હેતુ કહેવામાં આવ્યો. આહા.... હા ! વસ્તુ (સ્થિતિ) તો આ છે! બાહ્ય સહકારી કારણ કહ્યું ને...“આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” - તે નિમિત્ત છે અને જે મુમુક્ષુઓ છે તેમને પણ એટલે કે જેમ વાણીને (નિમિત્ત) કહ્યું તેમ મુમુક્ષુને એટલે જે મોક્ષાર્થી છે, ધર્માત્મા છે એને પણ ઉપચારથી, બાહ્ય સમકિત જે વ્યવહારસમકિત છે તેને તે, બાહ્ય (અન્ય) સમકિતીજીવના પરિણામ અંતરંત હેતુઓ છે, એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ ? “હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કેમ? કેઃ તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે.” કોના? કેઃ જેના આત્માના પરિણામ, બાહ્ય (અન્ય) સમકિતીને ઉપચારથી અંતરંગ હેત કહ્યા, એ જીવને દર્શનમોહનો ક્ષય-ક્ષયોપશમ હોય છે. એના આત્માનો અભિપ્રાય, દેશનાલબ્ધિને અંતરંગ હેતુ છે અને શબ્દ બાહ્ય હેતુ છે; (–એમ કહેવામાં આવ્યું છે.) આવું છે! સમજાણું કાંઈ? કારણ કે “તેમને” એટલે કોને? –મુમુક્ષુને. મુમુક્ષુ” કોણ? –ધર્મ પામનાર નહીં, પણ ધર્મ પામેલ છે (તે). એની વાણી દ્રવ્યશ્રુત બાહ્ય સહકારી કારણ; અને એનો અભિપ્રાય (-છે તો એ પર-નિમિત્ત-બાહ્ય છે, પણ-) ઉપચારથી અંતરંગ હેતુ (છે). કારણ કે તેમને” અર્થાત્ કોને? કેઃ મુમુક્ષુને (એટલે) ધર્મ પામનારને નહીં, ધર્મ પામેલા છે તે, ધર્મ પામનારના વ્યવહારસમકિતમાં ઉપચારથી અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. (શ્રોતાઃ) પંડિત લોકો બંનેને બાહ્ય કારણ કહે છે! (ઉત્તર) બાહ્ય કારણ કહે છે ને...! એ ખબર છે. એ જીવને ઓલા (દ્રવ્યકૃત) બાહ્ય-સહકારી કારણ (છે) તેને જ અંતરંગ કહ્યું છે. તેથી અહીં કહ્યું ને કેઃ જે મુમુક્ષુઓ છે તેમને પણ દ્રવ્યશ્રત તો છે, એમની વાણી જ્ઞાનીની વાણી છે. તે તો દ્રવ્યશ્રત છે; તે વ્યવહારસમકિતમાં બાહ્ય સહકારી કારણ નિમિત્ત છે અભિપ્રાય છે, એટલે એનો આત્મા જે છે, તે મુમુક્ષુને પણ (અર્થાત્ ) બાહ્ય-વ્યવહારસમકિતી જીવને (પણ) ઉપચારથી અંતરંગ હેતુ છે. (એટલે કેઃ) અહીં એ મુમુક્ષુ ધર્માત્માને પણ (ઉપચારથી) અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. આહા.... હા! સમજાય છે કાંઈ? આવું છે! કારણ કે તેમને એટલે મુમુક્ષુઓને પણ બંને એટલે દ્રવ્યશ્રત છે અને આ પણ બાહ્ય નિમિત્ત છે; એમ તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે. જેને દર્શનમોહનીયનો ક્ષય-ઉપશમ થયો હોય તો એ આત્મા-સમકિતીને, વ્યવહારસમકિતમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy