SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ - ૯૯ જિજ્ઞાસાઃ વ્યવહા૨ કારણ લેવું હોય તો? સમાધાનઃ નહીં... નહીં... નહીં. વ્યવહાર તો ઉપચારથી (કારણ ) કહેવાય છે. અહીં તો કહ્યું ને... એ તો ઉપચારથી (અંતરંગ હેતુઓ) કહ્યા છે. એનો અર્થ ખરેખર છે જ નહીં. પણ નિશ્ચય થયો હોય તેને વ્યવહાર-નિમિત્તને પરંપરા (કારણ ) કહ્યું છે. એનો અભાવ કરીને (પૂર્ણ નિશ્ચય પ્રગટશે ). કારણ કે નિશ્ચયે એ પૂર્ણ છે; છતાં (જ્યાં સુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાં સુધી વચ્ચે ) વ્યવહાર આવે છે. (અહીં કહે છે કે: ) વ્યવહારસમકિતના પરિણામમાં, ભગવાનના શ્રીમુખેથી નીકળેલું તત્ત્વજ્ઞાન તે બાહ્ય સહકારી-નિમિત્ત કારણ (છે). અને સમકિતી જીવ જે છે તેને મોક્ષની પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ છે. સમિતીમાં તેને ઉપચારથી અંતરંગ હેતુ કહ્યા છે. એકલો અંતર્હતુ ક્યાં? –એ તો બાહ્ય ચીજ છે. જિજ્ઞાસાઃ વ્યવહારસમકિતનું કારણ કહ્યું ! સમાધાનઃ વ્યવહાર અને નિમિત્ત છે. નિશ્ચયને નિરપેક્ષ કહ્યો ને..! એને (વ્યવહા૨ની ) કાંઈ અપેક્ષા જ નથી. એ તો એકદમ સ્વના આશ્રયે થાય. એક જ વાત છે. આહા.. હા! પરમ નિરપેક્ષ છે. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-અનુષ્ઠાન (રૂપ શુદ્વરત્નત્રયાત્મક માર્ગ) ૫૨મ નિરપેક્ષ છે. આહા... હા ! નિશ્ચયની સાથે, જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં સુધી, વ્યવહાર આવે છે કે નહીં? તો એ વ્યવહા૨સમકિતમાં બાહ્ય નિમિત્ત-સહકા૨ી કારણ વાણી અને એ વાણીના કહેનારા જ્ઞાની-ધર્માત્મા એ ઉપચારથી અંતરંગ હેતુ છે. નહીંતર (એમ ) તો એ ય બાહ્ય છે. આહા... હા! એનું વજન (મહત્ત્વ ) આપ્યું છે. એનો આત્મા જે સમ્યગ્દર્શન-જ્ઞાન પામેલો છે તે આત્માને એના (મુમુક્ષુના ) જ્ઞાન-સમિતિમાં અંતરંગ હેતુ ઉપચારથી કહેવામાં આવે છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? આહા.. હા ! બીજી ગાથામાં તો (સંસ્કૃત ટીકામાં ) છે ને... 'परमनिरपेक्षतया નિખપરમાત્મતત્ત્વસમ્યશ્રદ્ધાનપરિજ્ઞાનાનુષ્ઠાનશુદ્ધત્નત્રયાત્મમાર્ગો મોક્ષોપાય:। ” પણ આપણે તો અહીંયાં (અંતરંગ-બાહ્ય હેતુઓની) વાત ચાલે છે. આહા.. હા! કેટલાં પડખાં પડે અને કેટલી વાતો!! આવી વાતો છે, ભાઈ! પ્રભુનો માર્ગ ગંભીર છે! નિશ્ચયને કોઈ અપેક્ષા જ નથી. વ્યવહા૨ને નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્ત કંઈ ૫૨ને-નિશ્ચયને કરતું જ નથી ત્યારે (તો વ્યવહારને ) નિમિત્ત કહેવામાં આવ્યું ને...? આ (તત્ત્વજ્ઞાન તેમજ જ્ઞાની પણ નિમિત્ત છે) એ (ખરેખર ) વ્યવહારસમ્યક્ત્વમાં કાંઈ કરતા નથી; પણ એવું (જ) નિમિત્ત હોય છે. જુઓ અંદર ( પાઠ ) છે: “યે મુમુક્ષુવ: તેષુપવારત: પર્વાનિર્ણયનેતુત્વાત્ અંતર હેતવ ત્યુત્તા: વર્શનમોહનીયર્મક્ષયપ્રવૃત્તે: સાશવિત્તિ ” એમાંથી (કેટલાક પંડિતો ) એવો અર્થ કાઢે છે કે-દર્શનમોહાદિનો જે ક્ષયોપશમ છે તે સમકિત પામવાનો અંતāતુ છે. પણ એવો અર્થ છે જ નહીં. એવો અર્થ પહેલાં બ્ર. શીતલપ્રસાદજીએ પણ કર્યો છે. તેમને ક્યાંક ભંડારમાંથી (‘નિયમસાર ’) મળ્યું. એમણે જ હિંદી ટીકા પહેલવહેલી બનાવી છે. પણ પંડિતજીએ ( શ્રીહિંમતભાઈએ ) ( મૂળ ) પાઠને અનુસરીને આવો અર્થ કર્યો છે જુઓઃ “જે મુમુક્ષુઓ છે એટલે ‘મુમુક્ષુ ’ કોણ ? કેઃ જે મોક્ષાર્થી છે “તેમને પણ ”... ‘તેમને પણ ' કેમ ? ( સમકિતી માટે તો ) જે ધર્માત્માઓની વાણી ) ને ( અર્થાત્ ) દ્રવ્યશ્રુતને બાહ્ય સહકારી કારણ કહ્યું ( પણ અહીં ) મુમુક્ષુ છે “ તેમને પણ ‘તેમને પણ ' ક્યારે આવે ? કે: જ્યાં દ્રવ્યશ્રુત તો છે પણ જે મુમુક્ષુજીવ છે તેમને પણ 66 Please inform us of any errors on rajesh@Atma Dharma.com 66
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy