SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૯૭ અર્થ: જ્ઞાની (ભોગ) ભોગવે છે (એમ નથી). તે ભોગને ભોગવતો નથી, પરંતુ જરી રાગ આસકિત (વશ આવી જાય છે તો તે સંબંધી) રાગને ભોગવે છે. પણ અહીં તો એમ કહેવામાં આવ્યું. અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે. (પણ) પરદ્રવ્યને તો સ્પર્શતા ય નથી (તો પછી) પરદ્રવ્યને ભોગવે, એવું ક્યાંથી આવ્યું? “સમયસાર' નો પાઠ તો એવો છે: “સમ્યગ્દષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડ અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે, આહા... હા! બાપુ! એ તો અપેક્ષાથી કથન કર્યું છે, એમ જાણવું જોઈએ. શબ્દને પકડી રાખે એમ ન ચાલે. ત્યાં વળી એને (સમ્યગ્દષ્ટિને) ભોગ નિર્જરાનો હેતુ હોય? તો તો ભોગ છોડીને અંદર સ્વરૂપમાં- ચારિત્રમાં રમણતા કરવી નહીં, ભોગથી નિર્જરા થઈ જશે–એમ નથી. એ તો દષ્ટિની પ્રધાનતાથી અધિકતા-વિશેષતા બતાવવા, તથા અતરે આનંદનું (અ) સ્વરૂપમા-અતર્મુખમાં જાર ઘણું છે, એ કારણે, એનો ભોગ પણ દષ્ટિની અપેક્ષાએ નિર્જરી જાય છે એમ કહેવામાં આવ્યું. બાકી તો ભોગનો ભાવ તો પાપ છે. (એનાથી) તો એને બંધન થાય છે. સમકિતીને શું પણ મુનિને છટ્ટ ગુણસ્થાને મહાવ્રતના જે પરિણામ છે તે છે તો શુભ, પણ (તેથી) એને બંધ થાય છે. સમજાય છે કાંઈ ? (તેમ છતાં) એમ લઈ લે કે, સમકિતીને કંઈ આસ્રવ અને બંધ છે જ નહીં, એમ નથી. ભાઈ ! એ (વાત) કઈ અપેક્ષાથી ચાલી છે? સરદારશહેર સાથે મોટી ચર્ચા ચાલી છે ને.! સમકિતીને બંધ અને આસ્રવ છે જ નહીં, (પણ) એમ કઈ અપેક્ષાથી કહ્યું? (એ તો એને) અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધી આસ્રવ અને બંધ નથી (-એમ કહેવામાં આવ્યું છે). અરે બાપુ! જો સર્વથા બંધ ન હોય તો (પછી એમ કેમ કહ્યું કે, દેશમાં ગુણસ્થાને લોભ છે તેથી તે છ કર્મ બાંધે છે. (પ્રભુ !) એકાંત તાણે તો (પણ વસ્તુસ્થિતિ) તેમ હોઈ શકે નહીં. અહીં કહે છે: વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુનું પ્રતિપાદન.... આહા. હા ! જોયું! એક તો ભગવાનના મુખમાંથી નીકળેલું કહ્યું. અને (બીજું ) સમસ્ત વસ્તુનું પ્રતિપાદન (અર્થાત ) બધી ચીજનું કથન તેમની વાણીમાં આવે છે, એમ કહે છે. આહા... હા! (અહીં કહે છે કે, સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ! અને બીજી બાજુ શ્રીમદ્ રાજચંદ્રજી) “અપૂર્વ અવસર' માં એમ કહે છે કેઃ “જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.” (તેમજ) “ગોમટસાર” માં પણ છે: જેવું જ્ઞાનમાં જાણ્યું એવું વાણીમાં (આવે નહીં, પણ તેના) અનંતમા ભાગે આવે. (અર્થાત્ ) જેટલું જ્ઞાનમાં આવ્યું તેના અનંતમાં ભાગે તો વાણીમાં આવે છે અને તેના અનંતમા ભાગે ગણધરને ખ્યાલમાં આવે છે. આહા. હા! અહીં તો એ કહ્યું: મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુનું પ્રતિપાદન (એ) પૂર્ણ જ છે. એ પણ “સમયસાર' માં આવી જાય છે. ભગવાનના મુખથી પૂર્ણ સ્વરૂપ જ આવે છે, પૂર્ણ સ્વરૂપ કહે છે; તે આવે છે. અહીંયાં એ પણ કહ્યું: સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રતરૂપ તત્ત્વજ્ઞાન, તે નિમિત્ત છે. એટલે કે- મુખકમળમાંથી નીકળેલી જે ભગવાનની વાણી તે સમસ્ત પદાર્થને કહેનારી છે, તે વાણી વ્યવહારસમકિતીને નિમિત્ત છે. આહા... હા ! સમજાય છે કાંઈ? (શું કહે છે?) કે: “એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” ભગવાનના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. તે જ વ્યવહારસમ્યગ્દર્શનમાં બાહ્ય-સહકારી નિમિત્તકારણકહેવામાં આવે છે. આહા.... હા! આવું છે પ્રભુ ! એમાં (બીજું ) શું થાય? હવે (વિવાદાસ્પદ) વિષય આવે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy