SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮: પ્રવચન નવીનીત ભાગ ' ભિન્ન થઈ, ભગવાન ( આત્મા ) ને સ્વદ્રવ્ય જાણીને અનુભવે; અને રાગને પરદ્રવ્ય જાણીને (ભિન્ન ) જાણે. સમ્યગ્દષ્ટિ રાગને ૫૨ દ્રવ્ય તરીકે જાણે. એક (સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય) ભિન્ન ભિન્ન જુએ. એવો અર્થ ‘આ’ શબ્દનો છે. ‘સ્વદ્રવ્ય ’ શરીર પ્રમાણે હોવા છતાં શરીરથી ભિન્ન; અને આખા આત્મ પ્રદેશમાં કર્મવર્ગણા- રજકણ છે, તોપણ તેનાથી ભિન્ન (છે). તથા રાગ પણ આખા આત્માની પર્યાયમાં છે, તેનાથી પણ ભિન્ન ‘ચેતનદ્રવ્ય ' છે. એ ચેતનદ્રવ્યની અંતર્દષ્ટિ કરવી. આહા... હા! આ અનંતકાળમાં કર્યુ નહીં; આ સિવાય, ધણું બધું કર્યુ. સ્વર્ગ પણ અનંતવા૨ે મળ્યું. ભગવાન તો એમ કહે છે કે અનંતકાળે એક વાર મનુષ્ય ભવ મળે તેવા મનુષ્યના અનંત ભવ કર્યા. એનાથી અસંખ્યગણા નારકીના અનંતા ભવ કર્યા. આહા... હા! તે નરકનાં દુઃખ.. પ્રભુ! શું કહે છે એક ક્ષણનાં દુ:ખ ભગવાન તેં સહ્યાં તે કરોડ જીભે, કરોડ ભવમાં પણ કહી શકાય નહીં; એવાં દુઃખ તેં સહન કર્યાં છે. પ્રભુ! ભવ પણ મનુષ્ય સંખ્યા કરતાં અસંખ્યગણા અનંત કર્યા. અને તેનાથી અસંખ્યગણા અનંત ભવ સ્વર્ગના કર્યા. તો સ્વર્ગમાં શું કોઈ પાપ કરીને જઈ શકે છે? મિથ્યાદષ્ટિ થઈ, પુણ્ય કરી, અનંતવાર સ્વર્ગમાં ગયો. આવું અનંતવાર થયું. પણ સમ્યગ્દર્શન પામ્યો નહીં. એ દષ્ટિ (મેળવી નહીં). અંદર વસ્તુ શું છે? સ્વદ્રવ્ય શું છે? (−એનો યથાર્થ નિશ્ચય કર્યો નહીં). અને ૫૨દ્રવ્યનું ભેદજ્ઞાન ક્યારેય કર્યું નહીં. = – ૧ પરમાત્મા એમ કહે છે: “ ભેવવિજ્ઞાનત: સિદ્દા: સિદ્ધ્ યે વિત જેવન” પ્રભુ ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં બે હજાર વર્ષ પહેલાં, સવતં ૪૯માં કુંદકુંદાચાર્ય ગયા હતા. ત્યાંથી આવીને ‘આ’ સંદેશો લાવ્યા. (‘સમયસાર') પાંચમી ગાથામાં કહ્યું (છે) કેઃ પ્રચુર સ્વસંવેદન જેની મહોરછાપ છે; એ મારા મુનિપણાનો - ભાવલિંગનો વૈભવ છે. અનુભવની મહોરછાપ શું ? કે: અતીન્દ્રિય આનંદ એની મહોરછાપ છે. કુંદકુંદ આચાર્ય એમ કહે છે કેઃ મારા અંતર આનંદનું વેદન જે પ્રચુર છે એનાથી હું કહું છું કેઃ સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એવું જે છે, તેમ પ્રભુ તું જો ને....! એક વાર ત્યાં નજર તો કર! આહા... હા! ભગવાન આનંદનો નાથ અંદર બિરાજે છે. અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. એ સ્વદ્રવ્યથી; પરદ્રવ્ય રાગાદિ, વ્યવહાર રત્નત્રય, વિકલ્પ આદિ, મન, વાણી, દેહ, કર્મ, એ પદ્રવ્ય ભિન્ન જુઓ. એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ! અહીં તો અમે બધા આત્માને અંદરમાં પ્રભુ તરીકે જોઈએ છીએ. (સંસારી જીવને) એની ખબર નથી. એક બોલ થયો. = - બીજો બોલ: “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.” પોતાનું સ્વરૂપ ચિદાનંદ આનંદકંદ પ્રભુ, જે વિકલ્પ અર્થાત્ રાગથી ભિન્ન એવું જે સ્વદ્રવ્ય છે, એના રક્ષક થાઓ. આહા... હા! (આ ) સ્વદયા. ભગવાનઆત્મા સ્વદ્રવ્યના Please inform us of any errors on rajesh@AtmaDharma.com –
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy