SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭ : ૭૭ કોઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળ છે અને દ્રવ્ય પણ ત્રિકાળ છે. ત્રિકાળનો અંતરમાં અનુભવ થવો. અંત૨માં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, એમાં પ્રતીતિ થવી – એનું નામ સમ્યગ્દર્શન છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, તો એની પ્રથમ આ વ્યાખ્યા છેઃ “ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ ”. આહા... હા! ભગવાન! ‘સમયસર' ની ૭૨ ગાથા છે; ત્યાં તો આચાર્ય દેવ ભગવાન' કહીને બોલાવે છે. ૭ર ગાથામાં પહેલાં તો એવું લીધું છે કેઃ પ્રભુ! એક વાર સાંભળતો ખરો. પ્રભુ! એ શુભ અશુભ ભાવ એ અશુચિ છે, મેલ છે અને મેલપણે અનુભવમાં આવે છે. પહેલો બોલ અમૃતચંદ્ર આચાર્યની સંસ્કૃત ટીકામાં છે. પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ અશુચિ છે, મેલ છે, અજીવ છે, પુદ્દગલ પરિણામ છે. અને ભગવાનઆત્મા નિર્મળાનંદ પ્રભુ જ્ઞાનરસ આનંદરસ- અવિકારી શાંતરસનો કંદ પ્રભુછે. આહા... હા! અને ‘આનંદનો અંશ નથી. શુભ અને અશુભ ભાવમાં જ્ઞાન ચેતનનાં કિરણ નથી, અતીન્દ્રિય આનંદનો અંશ નથી, એ કારણે પુણ્ય અને પાપ ભાવને, શુભ અશુભ ભાવને જડ કહ્યા છે, પ્રભુ (ભગવાનઆત્મા ) વિજ્ઞાનઘન છે, આનંદનો કંદ છે. આહા... હા ! તે કહ્યું હતું ને...? જેમ સકરકંદ (શકકરિયાં) છે તેની ઉપલી છાલ છે તેને ન જુઓ તો અંદર જે કંદ છે; તેનું આખું દળ સાકરની મીઠાશનો પિંડ છે અને જે છાલ છે તે ભિન્ન છે; એમ ભગવાનઆત્મા પુણ્ય અને પાપના (ભાવથી ભિન્ન છે). પ્રભુ! ઝીણી વાત તો છે, શું થાય? શુભ અને અશુભ ભાવ જડ છે. આ (શરીર) તો જડ છે જ. એ તો માટી–ધૂળ છે. પ્રભુ! અહીં તો ‘ભગવાન' તરીકે જ બોલાવે છે. આહા... હા ! 6 - - બાળકની માતા પારણું ઝુલાવતાં ઝુલાવતાં એનાં વખાણ કરે છે પ્રશંસા કરે છે તો તે, અવ્યક્તપણે (બાળકને) ઠીક લાગે છે અને સૂઈ જાય છે. અહીં સંતો-મહા મુનિઓ 6 ભગવાન ' કહીને એને જગાડે છે. અરે! જાગ રે જાગ, નાથ! તું તો ચૈતન્ય અને આનંદની રિદ્ધિનો ભંડાર! પ્રભુ! તું રાગમાં રોકાયો ? રાગ તો જડ છે અને અચેતન છે ને... ? - એમાં તો આત્માની શાન્તિ અને આનંદનો અંશ નથી, એ કારણે શુભ અશુભ ભાવ બન્નેને જડ કહ્યા. ભગવાનઆત્માને ચૈતન્યમૂર્તિ કહ્યો એ આ સ્વદ્રવ્ય. સમજાય છે કાંઈ ? (‘ સમયસાર ') ૭૨-ગાથામાં, ત્રીજા બોલમાં એવું લીધું કેઃ શુભ અને અશુભ ભાવ દુઃખ છે. રાગ છે એ દુઃખ છે, પ્રભુ! આત્મા તો અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. અને અતીન્દ્રિય આનંદની મૂર્તિથી રાગ વિરૂધ્ધ છે; એ કારણે દુઃખ છે, અને એનાથી ભિન્ન ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આહા... હા ! પરંતુ આ ‘દૃષ્ટિ’ ભાષામાં સમજાય શી રીતે ? – અંતરમાં દષ્ટિમાં રાગથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy