SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા: ૩/૬-૩૦૮: ૬૯ અનુભવ કરેલા ભોગોની “આwાંક્ષાનિઃાન” એની જે ઈચ્છારૂપી નિદાન-હેતુથી તો “પ્રભુ” રહિત છે. આહા.... હા ! એવા “આત્મા” ને અંદર અનુભવવો એનું નામ “ધર્મ' છે. એનું નામ “જૈનધર્મ' છે. અહીં ત્રણ “શન્ય' લેવા છે ને...? “મો વાંક્ષાશ્રુપ નિવાર'; માયા” એટલે કપટ-કુટિલતા; અને “મિચ્યા” એટલે ઊંડે ઊંડે કંઈ પણ રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય-આત્મા પમાય. એ મિથ્યાશલ્ય –એવાં ત્રણેય શલ્યથી “પ્રભુ” રહિત છે. એટલે કોઈ પણ સૂક્ષ્મવૃત્તિનું ‘નિદાન', ઊંડી ઊંડી “માયા', અને ઊંડે ઊંડ મિથ્યાત્વ' નો-વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ; જેના અસંખ્ય પ્રકાર છે; એવાં ત્રણ શલ્યથી, “પ્રભુ” રહિત છે. [ “સર્વવિભાવપરિમિતિ: શૂન્યો.”] “સર્વવિભાવ” એમાં ક્યાં બાકી રાખ્યું કાંઈ ? “બહેનશ્રીનાં વચનામૃત' (બોલઃ ૩૧૯) માં છે કેઃ “વિભાવથી જુદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર”. “વિભાગથી રહિત થાઓ.” આહા... હા! આ એક શબ્દ બસ છે! “વિમાન' અર્થાત પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિનાં પરિણામ, એ “વિભાવ' છે; એ “સ્વ-ભાવ' નથી. (“હું' ) એવા સર્વ વિભાવપરિણામ રહિત, શૂન્ય છું. અભાવ બતાવવો છે ને...! આહા... હા ! “સર્વ વિભાવપરિણામરહિત શૂન્ય છું'. પછી વ્રત ને.. ત૫ ભક્તિ ને... પજા આદિના જે વિકલ્પ છે. તે પણ વિભાવ છે, ભાઈ ! “પ્રભ' માં વિભાવ નથી. એ તો અધ્યાસથી વિભાવને પોતાનો માન્યો છે. પણ “વસ્ત” માં નથી. (જીવ) અધ્યાસમાં ટેવાઈ ગયેલાને લીધે જાણે આ સૂક્ષ્મ વિકલ્પનો વિભાવ, મારો (સ્વભાવ) છે' એમ એણે શલ્યમાં-મિથ્યાત્વમાં માન્યું છે. પણ (કોઈ પણ) વિભાવ “વસ્તુ” માં નથી. સમજાય છે કાંઈ? આવો ભગવાન આત્મા ચૈતન્યદીવો-સૂર્ય કે જેના ચેતનના પ્રકાશમાં એ વિભાવ-ભાવ' અંધારું છે, અજીવ છે. આહા... હા ! એ વિભાવભાવ છે તે અજીવ છે; એ જીવ નથી. એ અંધારું છે. એ જાણતા નથી. જાણતા નથી તે જાણનારથી જુદા છે. સમજાય છે કાંઈ? એ “વિભાવ' ને તો વ્યભિચારી કહ્યા છે. સ્વસ્વભાવ” જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પ્રભુ છે! એમાં વિભાવના ભાવને સંયોગીભાવ-વ્યભિચારભાવ કીધો છે. અરે ! શાસ્ત્રમાં બુદ્ધિ જાય, તેને વ્યભિચારિણી કહી છે. લોકોને આકરું પડે છે! (અને પોકારે છે કે, એકાંત છે. એકાંત છે. (પણ) બાપુ ! આ તો સમ્યક એકાંત છે. શ્રીમદ્ભાં (પત્રાંક: ૭૦૨માં) આવે છે: “ અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. (પરંતુ) લોકો અનેકાંત... અનેકાંતના (નામ) એમ કહે છે કેઃ સ્વભાવથી લાભ થાય અને વિભાવથી પણ લાભ થાય, તો અનેકાંત કહેવાય. તેમ જ પોતાના ઉપાદાનથી પણ કામ થાય અને નિમિત્તથી પણ અંદર (આત્મામાં) કામ થાય, એને અનેકાંત કહે છે. (પણ) એ અનેકાંત નથી. એ તો એકાંતિક મિથ્યાત્વભવ છે. એ વિભાવભાવ છે. સમજાય છે કાંઈ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy