SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮: પ્રવચન નવનીત ભાગ-૧ એ ભગવાન ( આત્મા ) તો અંદર પરિપૂર્ણ પરમાત્મા છે ભાઈ! તને એ પરિપૂર્ણતાની પ્રતીતિની ખબર નથી. પ્રતીતિ એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર (ની શ્રદ્ધા એમ નહીં, એ ) તો ઇન્દ્રિયના વિષય છે. તે ઇન્દ્રિય છે. આત્મા એનાથી પણ પા૨ છે. ≠ [“ મનોવષનળાયવ્યાપાર ”] મન-વચન-કાયાના વ્યાપારથી પાર છે. આહા... હા! ભગવાન અંદર શુદ્ધ આનંદકંદ પ્રભુ...! જેના સ્વભાવનો આશ્રય લેતાં (પર્યાયમાં) અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, (એને પ્રતીતિ કહીએ ). એ ભગવાન પોતે મન, વચન અને કાયાથી તો ભિન્ન છે. તે વાણીથી મળે તેવો નથી, દેહથી મળે તેવો નથી, પણ મનના ભાવથીય પણ તે મળે તેવો નથી. અંતઃકરણ મન છે તે તો અંદર જડ છે, એ તો ૫૨માં ગયું. પણ ભાવેન્દ્રિયભાવમન સંકલ્પ-વિકલ્પ (છે); ‘પ્રભુ’ તો એનાથી પણ રહિત છે; અંદર ભિન્ન છે. એનું નામ ‘આત્માની ભાવના' કહેવાય છે. ["2 [ “ ભાવળર્મ-દ્રવ્યર્મ-નોર્મ ” ] ‘ભાવકર્મ ’ : પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, એ બધાં ભાવકર્મ. લોકોને આકરું પડે! ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ જે ઊઠે છે તે. ચાહે તો ભગવાનના સ્મરણની, શાસ્ત્રવાચનની, શાસ્ત્રને કહેવાની (હોય ) –એ બધી વૃત્તિઓ છે, તે ભવકર્મ છે. ભાવકર્મ એટલે વિકારી પરિણામ. તેનાથી ‘પ્રભુ (આત્મા )’ ભિન્ન છે. ‘દ્રવ્યકર્મ' : જડકર્મ જે (જ્ઞાનાવરણીય આદિ) આઠ છે; તેનાથી તો ‘પ્રભુ’ અંદર ભિન્ન છે. વસ્તુ છે, અસ્તિ છે, હાજર છે, હયાતી ધરાવે છે, એવું જે ‘આત્મતત્ત્વ '; તે એ જડકર્મ (–દ્રવ્યકર્મ ) થી ભિન્ન છે. ભાવકર્મથી ભિન્ન છે, એ પહેલાં લીધું. (હવે કહે છે કે) નોકર્મથી ભિન્ન છે. નોકર્મથી ( એટલે કે) શરીર-વાણી-મન આદિ અથવા બીજાં બાહ્ય નિમિત્તો-એ બધાંથી, તે (‘પ્રભુ ’) ભિન્ન છે. : [ “ ાતિ-પુના-નામ”] મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ, –એવા ખ્યાતિપૂજાના લાભની આકાંક્ષાથી (‘પ્રભુ’) રહિત છે. આહા... હા! કોઈ મને કંઈ ગણતરીમાં ગણે, કોઈ મારી ખ્યાતિ-પ્રસિદ્ધિ બહાર લોકોમાં કરે, -એવી આકાંક્ષાથી પણ ‘પ્રભુ’ તો રહિત છે. આહા... હા ! એને અહીં ‘ આત્મા' કહેવામાં આવે છે. લોકો ખ્યાતિ-પૂજા-બહુમાન કરે, મને પૂજ્ય તરીકે સ્વીકારે, –એવી આકાંક્ષાથી ‘પ્રભુ’ રહિત છે. જે ભોગો 9 [ “ દeશ્રુતાનુભૂતોાાંક્ષાપનિવાનમાયામિથ્યાશયંત્રયાવિ” ] ‘ દદ ’ – દેખવામાં આવે છે; ‘ શ્રુત ' –જે ભોગો સાંભળેલા છે; અને ‘અનુભૂત ’–જે ભોગો અનુભવેલા ( છે ); ( -તેની આકાંક્ષાથી ‘પ્રભુ’ રહિત છે.) જે ભોગો જોવામાં આવે એટલે આ બહારનાં સાધનો, જોવામાં આવે છે તે. સાંભળેલા ભોગો એટલે કે (લોકોને કહેતા) સાંભળ્યા હોય કે અમેરિકામાં અબજોપતિ આવા છે, ને... લાણા છે ને... ૪૮-૪૮ માળનાં મકાન છે ને... એમાં રહે છે ને... એ બધી વાતો સાંભળેલી હોય તે. અનુભવેલા એટલે કે એવા વિષય-ભોગોનો અનુભવ અનુભવ કર્યો હોય તે. એવા દેખેલા, સાંભળેલા અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy