SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬: પ્રવચન નવનીત ભાગ-૧ પણ અપૂર્ણતા નથી–એવો ‘હું' પરિપૂર્ણ છું. પાઠમાં તો એટલું આવ્યું કે મરિતાવસ્થો ં ”-હું પરિપૂર્ણ સ્વરૂપ છું. 66 “ RIT-દ્વેષ-મોદ ”- ‘રાગ’ માં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આવી ગયો. દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પરદ્રવ્ય તરફના વલણની દશારૂપ જે રાગ, તેનાથી તો ‘હું' રહિત છું. જેનાથી રહિત છું તેનાથી તે કેમ પમાય ? દ્વેષ ’ એટલે પ્રતિકૂળતા (પ્રત્યે અણગમો ). પ્રતિકૂળ-અનુકૂળ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જ્ઞાનમાં ‘૫૨જ્ઞેય' તરીકે જણાવા લાયક વસ્તુ છે. એ તો વ્યવહાર છે. (ખરેખર તો ) ‘જ્ઞાન' પોતે જ પોતાનો જાણનાર! પોતે જાણનારો અને જણાવા યોગ્ય પણ પોતે જ છે! આહા... હા! જિજ્ઞાસાઃ બીજું કોઈ નથી ? સમાધાનઃ કોઈ નથી. જાણનારો એ પોતે, જણાવા યોગ્ય પોતે, જાણનારો પોતે પોતાને. આહા... હા! આવો હું છું. આવો અનુભવ થતાં તેને સમ્યગ્દર્શન અને જ્ઞાન ને શાંતિ થાય છે. બાકી તો અશાંતિ... અશાંતિ ને અશાંતિ છે. ચોરાશીના અવતારમાં તો દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. 6 ‘મોહ ’ એટલે ૫૨ તરફના વલણવાળી દશા, સાવધાની. એ સાવધાનીથી રહિત છું. 66 ‘ ઋોધ-માન-માયા-લોમ”-એ વિસ્તાર કર્યો. દ્વેષની વ્યાખ્યા ક્રોધ-માન ’. રાગની વ્યાખ્યા ‘માયા-લોમ ’. –એનાથી પણ ‘હું’ રહિત છું. આહા... હા ! એને ક્યાં સુધી જવું છે? અંદ૨માં-આવી ચીજ (આત્મા) માં પહોંચવું છે ને... બાપા! એ ધ્રુવ-ધામમાં તેને વિસામો લેવાનો છે. એ વિના, ભવના અંત આવે એમ નથી... ભાઈ ! અનંત અનંત અવતાર ચોરાશીના કર્યા. એક એક યોનિમાં અનંત વા૨ે જન્મ્યો. અનંત વાર આચાર્ય નામ ધરાવ્યાં. અનંત વાર દીક્ષાઓ લીધી. “સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહુ સાધન બાર અનંત યિો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો ". ( – ‘શ્રીમદ્દ રાજચંદ્ર' પત્રાંક: ૨૬૫). કહે છે કેઃ આ ચીજ (આત્મપ્રાપ્તિ ) માટે કોઈ વિકલ્પની પણ એને જરૂર નથી. ** “ પંચેન્દ્રિયવિષયવ્યાપાર ”-ઇન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી-એ વિષયના વ્યાપારથી પણ ‘હું’ તો રહિત છું. આહા... હા! જિજ્ઞાસા: મિથ્યાત્વ મંદ તો પડે ને? સમાધાનઃ (મિથ્યાત્વ) મંદ પડે, એ કોઈ ચીજ નથી. એ તો કર્મનું મંદ અને તીવ્રપણું છે. એ કોઈ વસ્તુ નથી. એવા મિથ્યાત્વનું મંદપણું અને અનંતાનુબંધીનું મંદપણું તો અભવીને પણ થાય છે. એ કોઈ ચીજ નથી. મિથ્યાત્વ ટાળવા અને (આત્મ-) અનુભવ કરવા માટે તો " આ ' (આત્મ-ભાવના ) એક જ ઉપાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy