SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૬-૩૦૮: ૬૫ દેખનાર' તેને ન દેખે; અને પરને જાણીને ત્યાં (પરમાં) ઊભો ( રોકાઈ ) રહ્યો છે; એ વસ્તુનું સ્વરૂપ નથી. પોતાનું જ્ઞાન અને આનંદ (રૂપ) ત્રિકાળી સ્વભાવ-એ સ્વ, પોતાથી અનુભવવા લાયક અને તેનાથી (-અનુભવથી) તે ગમ્ય વસ્તુ છે. આવી વાત છે!! બાહ્યવ્રત ને તપ ને જપ ને ક્રિયા ને શાસ્ત્રઅભ્યાસ, એ તો અનંત વાર કર્યો. પણ આ સ્વસંવેદન વડે “આત્મા' ને જાણવાનો (યથાર્થ પ્રયત્ન-) અનુભવ કોઈ દી કર્યો નહીં. એ વિના, એના પરિભ્રમણના અંત ન આવ્યા. જૈન સાધુનાં દ્રવ્યલિંગ અનંત વાર ધારણ કર્યા, તોપણ (આત્મા) રાગથી અને નિમિત્તથી જણાય, એવી પર (આશ્રિત) બુદ્ધિના શલ્યને લઈને, એ ચાર ગતિમાં રખડયો! એ (આત્મા) સ્વસંવેદ્ય છે અને પ્રાપ્ત થવા યોગ્ય છે. પાઠમાં બીજો શબ્દ “પ્રાપ્યઃ” છે ને...! એ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ દ્રવ્યસ્વભાવ, જે પરિપૂર્ણ આનંદ અને પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ શાંતિથી ભરેલો તે ભગવાન; સ્વસંવેદનથી પ્રાપ્ત થવા યોગ્ય છે. સ્વસંવેદનથી ગમ્ય છે. આહા... હા ! એને “ગમ્યઃ” કહ્યો. એટલે એનાથી (સ્વસંવેદન વડે) તે (આત્મા) જણાય છે. અને “પ્રાપ્ય:” એની સ્વસંવેદનથી પ્રાપ્તિ છે. સ્વસંવેદન ગમ્ય છે તેથી તે સ્વસંવેદનથી પ્રાપ્ય છે. સમજાય છે કાંઈ ? (જીવ) પહેલો નિરધાર-નક્કી તો કરે કે મારગ આછે! બાકી તો અનંતવાર દ્રવ્યલિંગ-મુનિપણાં ધારણ કર્યા, અનંત વાર અગિયાર અંગ અને નવ પૂર્વનાં શાસ્ત્રના અભ્યાસ કર્યા છે. બહારની વાત-પાપની વાત-તો ક્યાં કરવી? (જીવે) એવાં પુણ્યનાં પરિણામ પણ અનંતવાર કર્યા છે. પણ સ્વસંવેદન જ્ઞાનમાં “આત્મા” ને (ક્યારેય) લીધો નહીં. પરના આશ્રયથી, ત્રણ કાળમાં તે (આત્મા) પામી શકાય એવો નથી. એ તો સ્વઆશ્રયે, પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળતાં, જે સ્વ-પોતાનું વદન થાય, તેનાથી આ આત્મા છે' , એમ જણાય. અને તેનાથી “પ્રાપ્ય:” –આત્મા પ્રાપ્ત થાય, એટલે કે પર્યાયમાં આત્માની પ્રાપ્તિ થાય. અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય “આત્મા’ માં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે, તો જે (આત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. આહા. હા! આવી વાત (વસ્તુસ્થિતિ) છે!! (“ભરિતાવસ્થોડવું”) હું મૂળ તો એવો શક્તિઓ અને સ્વભાવથી ભરેલી દશાવાળોઅવસ્થ એટલે શક્તિવાળો છું. આહા. હા! ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. એમ એ ભરેલી અવસ્થાવાળાની વ્યાખ્યા: “પરિપૂર્ણ સ્વરૂપ હું છું'. રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ “મારા ' માં નથી. “મારા” માં રાગની વિપરીતતા તો નથી, Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy