________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૪૭
આત્મા અંતરમાં એવી સ્વયં ચીજ છે, કે જેમાં કોઈ રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ-બધા રાગ છે, વિકલ્પ છે; એનાથી આત્મા જાણવામાં આવતો નથી. ‘સ્વયમ્' શબ્દ પડયો છે ને...? સ્વયં-પોતાનો અંતઃસ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. આહા... હા... હા! સ્વયં પ્રકાશમાન વિશદ છે. જોયું! (પ્રકાશશક્તિમાં ) ‘વિશદનો અર્થ સ્પષ્ટ ’. ( અને ) અહીં ( આ બોલમાં ) કહ્યું: ‘બાહ્ય-અત્યંતર સ્પષ્ટ' મૂળ તો સ્પષ્ટ કહો, સ્ફુટ કહો કે પ્રત્યક્ષ કહો, ખરેખર તો એક વાત છે. આહા... હા... હા !
ભગવાનઆત્મા એવી ચીજ છે કે જે ધર્મની પ્રથમ શ્રેણી (સીઢી ) માં સમ્યગ્દર્શનના કાળમાં, મતિ અને શ્રુત જ્ઞાન તે (અનુભવ) પ્રત્યક્ષ થઈ જાય છે. આહા... હા... હા! ઝીણી વાત છે, ભાઈ !
માર્ગ અત્યારે કંઈક (વિપરીત ) ચાલે છે, એક તો જાણે સંસાર આડે નવરાશ નહિ... પાપ ને. પાપ...! આમાં કરોડપતિઓને તો વળી ગૂંચવણ બહુ; વેપાર અને ધંધામાં. આહા... હા! ક્યાંય-ધૂળમાં ય સુખ નથી, બાપુ! તને. અહીં તો દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ-એ પણ દુ:ખ છે... રાગ છે.
પ્રભુ તો અતીન્દ્રિય આનંદમૂર્તિ પ્રભુ અંદર છે. એ સ્વયં પ્રકાશમાન છે. વિશદ એટલે સ્પષ્ટ, એવી સ્વસંવેદનમયી, સ્વાનુભવમયી પ્રકાશશક્તિ છે. આત્મામાં પ્રકાશશક્તિ નામનો ગુણ છે. જેમ જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન, જાણવું... જાણવું... જાણવું ગુણ છે; એમ પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ... પ્રકાશ ગુણ ત્રિકાળ છે. એ ગુણનો સ્વભાવ શું? કેઃ સ્વસંવેદન
પોતાનાથી વેદન થાય છે. એને કોઈ દયા-દાન-વ્રત-વ્યવહારની અપેક્ષા છે જ નહીં. આહા... હા... હા! ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન-એમાં એ આત્માનું સ્વસંવેદન (થાય છે.) સ્વસંવેદન–સ્વ સ્વથી + સમ = પ્રત્યક્ષ + વેદન-પોતે પોતાથી પ્રત્યક્ષવેદન, એવો પ્રકાશ નામનો ગુણ એમાં (આત્મામાં) છે. આહા... હા... હા! એ ગુણની પ્રતીતિ ક્યારે થાય છે? કેઃ જ્યારે એકલા ગુણની પ્રતીતિ નહીં; પણ એકલા દ્રવ્યની પ્રતીતિ કરે ત્યારે. આહા... હા...
=
હા!
આ ‘અવ્યક્ત’ ( બોલ ) ચાલે છે ને...? અવ્યક્ત કહો, સામાન્ય કહો, દ્રવ્ય કહો, નિત્ય કહો, એકરૂપ કહો, અભેદ કહો-એની પ્રતીતિ ક્યારે થાય છે? કેઃ એ અનંત અનંત શક્તિના પિંડ તરફ ‘અવ્યક્ત ' તરફ–ઉપાદેયતા આવે ત્યારે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં એની પ્રતીતિ આવે છે. આહા... હા... હા ! સમજાયું કાંઈ ?
.
આવી વાત ઝીણી પડે; એટલે પછી સોનગઢના નામે લોકો બિચારા! વાતો ય કરે... વિરોધે ય કરે. કારણ કે બહાર (સંપ્રદાયમાં) તો ચાલે છે કેઃ તમે વ્રત કરો ને તપસ્યા કરો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો (તો ) ધર્મ થશે. (પણ) અહીં કહે છે કેઃ હરામ જો એમાં ધર્મ હોય તો. રાગની મંદતા કરતા હોય તો પુણ્ય છે. પણ એ પુણ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com