SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬: પ્રવચન નવનીત ભાગ-૧ જિજ્ઞાસા: જો પર્યાયને “અવ્યક્ત' કહે તો શું નુકસાન? સમાધાન: બે પ્રકાર રહેતા નથી. વાયગ્રંથ “આસમીમાંસા' માં એમ આવ્યું છે: ધર્મી અને ધર્મ-બે ભિન્ન ચીજ છે. “ધર્મી' દ્રવ્ય અને “ધર્મ” પર્યાય-એ બે ચીજ ભિન્ન છે, એક નથી. આહા... હા... હા! આ ઘણીવાર “આત્મધર્મ” માં આવી ગયું છે. અહીં તો કહે છે કે એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારી ચીજ જે અંદર છે, તે બહારથી–શરીર-મન-વાણીથી–તો ભિન્ન છે; એનાથી તો તે જાણવામાં ય આવતી નથી. જેની કિંમત કરવી છે તે અમૂલ્ય ચીજ (શુદ્ધાત્મા), તે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવથી પણ જાણવામાં નથી આવતી. એ તો રાગથી ભિન્ન થઈને, પોતાની પર્યાયમાં, સ્વ-પર પ્રકાશક તાકાત હોવાથી ય- “વસ્તુ” -જાણવામાં આવે છે. સ્વભાવ તો આવો છે; પણ (અજ્ઞાનીની) દષ્ટિ તે (જ્ઞાયક વસ્તુ ) તરફ નહિ હોવાથી, અને (તેની) દષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર હોવાથી-જ્ઞાનની એક સમયની પર્યાયમાં, આખા શાયકનું જ જ્ઞાન થવા છતાં.. ( શાયકનું જ્ઞાનવેદન થતું નથી). એ તો “આબાળગોપાળ સૌને” (છે, એમ) લીધું છે ને....! એ ઉપર જરા આ વિચાર આવ્યોઃ “આબાળગોપાળ' એટલે કોણ? આમાં (શું) ક્ષયોપશમવાળા મનુષ્ય જ ગયા છે? બધાંયને ગયાં છે. આમાં. એકેન્દ્રિયથી માંડીને બધાં પ્રાણી, શુદ્ધદ્રવ્ય આનંદકંદ જ છે. આહા... હા... હા! અંદર (તો) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, નારકી, પશુ-બધાં ભગવસ્વરૂપ જ છે. આહા... હા... હા ! અહીં અતીન્દ્રિય અનંતગુણોનો પિંડ પ્રભુ, ભગવદ્-ભગવાનસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે ભગવાન (આત્મા) છે. આહા... હા... હા ! એને “અવ્યક્ત કહે છે. એ “અવ્યક્ત” ના પાંચ બોલ તો ચાલ્યા. (હવે ) છઠ્ઠો બોલ છે: [“સ્વયમેવ છે વહિરન્ત: સ્કુટમનુભૂયમાનત્વેfપ વ્યરૂપેક્ષન પ્રદ્યોતમાનત્યાન્ગાવ્ય$:”- પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રોતમાન (પ્રકાશમાન) છે. માટે અવ્યક્ત છે.) પોતે પોતાથી જ બાહ્ય-અભ્યતર' –ભાઈ ! પ્રકાશશક્તિ છે ને.. બારમી ! (“સ્વય પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (–સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.') એમાં પણ એ લીધું છે. સ્વયં પોતાથી સ્વસંવેદન થાય છે, એનો એવો ગુણ છે. આત્મામાં જ્ઞાન-આનંદએવી અનંત શક્તિઓ–ગુણ છે; એમાં એવો એક “પ્રકાશ' નામનો ગુણ છે. ૪૭ શક્તિમાંથી બારમો (છે.) તો એ શક્તિ-ગુણનો એવો સ્વભાવ છે કે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદન પોતાથી થાય છે. “સ્વયં પ્રકાશમાન વિશદ”—અહીં. “વિશઃ' શબ્દ વાપર્યો છે, અને આપણે અહીં (આ બોલમાં) “” શબ્દ છે. બંનેનો અર્થ એક જ છે. વિશદ કહો, સ્કુટ કહો કે પ્રત્યક્ષ કહો. આહા... હા... હા ! ભગવાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy