SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪): પ્રવચન નવનીત ભાગ-૧ હોતા નથી. એને તો પૂર્ણ કેવળજ્ઞાન થઈ ગયું. પણ અહીં નીચે જે શ્રુતજ્ઞાની છે, તેને બે નય પડે છે. એક પર્યાય નય અને એક દ્રવ્ય નય. પર્યાયનમાં-પર્યાયમાં અથવા પર્યાયનયમાં દ્રવ્ય અને પોતાની જ્ઞાન થવા છતાં, પર્યાયને પર્યાયવાન (-દ્રવ્ય) સ્પર્શતું નથી. આહા... હા... હા! આવું સૂક્ષ્મ છે!! આવી સૂક્ષ્મ વાત, કોઈ દી (મુમુક્ષુ-મુમુક્ષુ વચ્ચે પણ) આવી ન હોય! વેપારમાં કે વકીલ હોય તોયે ક્યાંથી આવે કોઈ દી ? બધી સંસારની માથાફૂટ હોય! ભગવાન આત્મા નિત્યપ્રભુ, “અનિત્ય પર્યાય” ને સ્પર્શતો નથી. ગજબ વાત છે એની !! (એ) પર્યાયને સ્પર્શતો નથી. પરને સ્પર્શતો નથી. આહા. હા... હા! સમજાણું કાંઈ? એની સામે “અલિંગગ્રહણ” નો ૨૦મો બોલ લેવો છે, કે પ્રત્યભિજ્ઞાનનું કારણ- “આ” છે, એ “આ” છે. ભૂતકાળમાં હતું તે જ “આ” છે, એવું પ્રત્યભિજ્ઞાનનું કારણ-જે દ્રવ્યસામાન્ય, તેને આત્મા સ્પર્શતો નથી–સામાન્યને આત્મા સ્પર્શતો નથી. અહીં તો “વ્યક્તતા” ને સામાન્ય સ્પર્શતો નથી. પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. એમ કહ્યું. સમજાય છે કાંઈ ? ત્યાં કહ્યું કે ભગવાન આત્મા ત્રિકાળી ભગવાન જે કાલે હતો તે ‘આ’ છે. “આ” છે... આ” છે... “આ” છે, એવો જે ત્રિકાળી ધ્રુવ, સામાન્ય સ્વરૂપ ધ્રુવ-એ દ્રવ્ય, પોતાને સ્પર્શતું નથી. અને અહીં કહે છે: ત્રિકાળી, પર્યાયને સ્પર્શતો નથી ! આહા... હા... હા ! સમજાણું કાંઈ ? આ તો બધું સમજવું પડે એવું છે. હળદરના ગાંઠિયે ગાંધી થવાય એવું નથી! થોડું ઘણું (ધારણામાં) પકડવું એટલે જાણે (યથાર્થ) આવડી ગયું...! આહા.. હા! ઝીણી વાત છે, ભગવાન ! ત્યાં તો એમ કહ્યું કે ભગવાન દ્રવ્ય-વસ્તુ છે, તે તો વેદનમાં આવતો નથી. અમારે તો વેદનમાં આવે એ પર્યાય જ અમારી વસ્તુ છે. “અલિંગગ્રહણ” –૨૦માં બોલમાં એમ લીધું કે: પ્રત્યભિજ્ઞાનનું કારણ (પ્રત્યભિજ્ઞાન અર્થાત્ કાલે હતો તે આજે છે તે જ ચીજ ત્રિકાળ છે ) એવી છે ધ્રુવ ચીજ, એવું જે દ્રવ્યસામાન્ય-વસ્તુ-ત્રિકાળ, તે પોતાને સ્પર્શતો નથી. અહીં પર્યાયને, (દ્રવ્ય) સ્પર્શતું નથી, એમ કહ્યું. અને ત્યાં દ્રવ્ય, (વેદન-પર્યાયને) સ્પર્શતું નથી, એમ કહ્યું. કેમકે, અમારે તો અમારી પર્યાયમાં જે આનંદનું વેદન આવ્યું, એ અમારી “વેદન-પર્યાય' જ હું છું. મારા વેદનમાં આવી, એ પર્યાય હું છું. ભાઈ ! સમજાણું કાંઈ ? અંદર વખારમાં માલ તો ગમે તે પડ્યો હોય, પણ ખાવામાં આવે તેટલી જ ચીજ હું છું. આહા... હા! હવે વાણિયાઓને આ બધું સમજવાનું છે! આ તો પરમ સત્ય !! સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, પરમાત્મા, પરમેશ્વર! –એની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy