________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૩૧ અવ્યક્ત છે. એ કારણે એ શુદ્ધ ઉપાદેય છે. ત્રિકાળી વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ! આહા.... હા ! એને પર્યાયમાં ધ્યેય બનાવીને ઉપાદેય કર! સમજાયું કાંઈ ?
આહા... હા! (સમયસાર) ૩૨૦-ગાથામાં પણ છેલ્લે આવ્યું ને...? ધ્યાતા પુરુષ કોનું ધ્યાન કરે? કહે છે કેઃ સકળ નિરાવરણ દ્રવ્ય-વસ્તુ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય-તે જ હું છું (એમ ધ્યાન કરે છે). આહા... હા! આ “અવ્યક્ત કહો કે આ કહો (એક જ છે.) ૧
સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો સાંભળવું ય મુશ્કેલ પડે. જ્યાં જાઓ ત્યાં ઉપવાસ કરો... ઉપવાસ ને... આ કરો ને-આ સાંભળવા મળે. (પણ) આ (વાત) કોઈ ભાગ્યશાળીને (મળે). વળી તે એટલા મહિના, બે-બે મહિના વખત લઈને...! આ માર્ગ તો આવો છે, બાપુ! આહા... હા!
મૂળ વસ્તુ અંદર ચૈતન્ય જેમાં બેહદ-અપરિમિત-એક એક શક્તિનું પરિમિત પ્રમાણ નથી-એવી તો અનંત શક્તિઓ, અને અનંત શક્તિઓનો એકરૂપ અખંડ તે જ હું છું. પરંતુ (ધ્યાતાપુરુષ-ધર્મી) એમ ભાવતો નથી કેઃ ખંડજ્ઞાનરૂપ હું છું. એક સમયની પર્યાય, એ ખંડજ્ઞાન છે. આહા.... હા ! (શ્રોતા:) વિષય કરે છે એટલે ખંડજ્ઞાન? (ઉત્તર) વિષય કરે છે ખંડજ્ઞાન; પણ ખંડજ્ઞાન, ખંડજ્ઞાનને ભાવતો નથી. સમ્યગ્દર્શન વિષય કરે છે ધ્રુવનો; પણ સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનને ધ્યેય બનાવતું નથી. આહા... હા... હા! ભાઈ ! આવો વિષય છે!!
અહીંયાં એ કહે છે કેઃ ચિત્સામાન્યમાં સમસ્ત વ્યકિતઓ નિમગ્ન છે-એમ હે શિષ્ય! તું જાણ. “ જાણ” છે એ તો વર્તમાન પર્યાયમાં આવે છે. સમજાણું કાંઈ? આ વર્તમાન પર્યાય
ભાવ્ય” -જ્ઞાયકની ભાવ્ય-નિર્મળ જે પર્યાય રાગરહિત, ભાવશ્રુતજ્ઞાનરૂપી જ્ઞાનપર્યાયમાં-આ ચીજ જેમાં બધી વ્યક્તિઓ પ્રગટદશાઓ અંતર્લીન છે-એવા સામાન્યને જાણ ! આવી વાત છે!! ભાઈ ! આવું સ્વરૂપ” છે. આહા. હા! માર્ગ તો આવો છે, ભાઈ !
‘ચિત્સામાન્યમાં' આહા... હા! “સમસ્ત વ્યકિતઓ” અર્થાત્ અરે.. રે! અનંત કેવળજ્ઞાન, અનંત કેવળદર્શન, અનંતવીર્ય, અનંતપ્રભુતાની પ્રગટ પર્યાય, અનંત
૧ આ ૩૨૦-ગાથાની ટીકાના અર્થ વિષે પૂ૦ ગુરુદેવ દ્વારા આપેલ સ્પષ્ટીકરણ -
વિવક્ષિત વેરાશર્જનયાશ્રિતેવું માના માવ્ય” જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય વિરક્ષિત એક દેશ શુદ્ધ નયાશ્રિત આ ભાવના. કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ, નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોપથમિક જ્ઞાનરૂપ હોવાથી- “પણ એ તો ક્ષયોપથમિક જ્ઞાન છે, અંશ છે” –જો કે એક દેશ વ્યકિતરૂપ છે, પ્રગટરૂપ છે તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકળ નિરાવરણ ”- (એ જ ) આ “ અવ્યક્ત” ચારેય બાજુ જુઓ તો વસ્તુ એક સિદ્ધ (થાય). પૂર્વાપર વિરોધ રહિત એ વાણી વીતરાગની. એક ઠેકાણે કહ્યું હોય અને બીજે ઠેકાણે કાંઈ એનાથી વિરુદ્ધ-એ વાણી (વીતરાગની) છે કાંઈ ? ( –નહીં.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com