________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮: પ્રવચન નવનીત ભાગ-૧
અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ આદિ જે પરિણતિ છે, તે તો દ્રવ્યમાં નથી. -એનાથી તો ભગવાન રહિત છે. રાગાદિપરિણતિ, (અર્થાત્ ) બેય રાગ શુભ કે અશુભ. ચાહે તો વ્રતનો રાગ હોય અને ઉપવાસ કરતો હોય; એવો વિકલ્પ-રાગ હોય તો તે શુભ અને હિંસા જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ અશુભ. એ (બન્ને ) રાગાદિ ક્રિયાથી ભગવાન ( આત્મા ) તો રહિત છે! આહા.. હા! એમાં તો અનંતી ઈશ્વરતા ભરી છે! (આત્મામાં) એક પ્રભુત્વ નામનો ગુણ છે. એનું-ઈશ્વરનું રૂપ અનંતગુણમાં છે. (તેથી ) એ અનંત ઈશ્વર અંદર પડયા (વિદ્યમાન ) છે. આહા.. હા.. હા! અનંતગુણ, અનંત અનંત ઈશ્વર છે. એ અનંત ઈશ્વર, અનંત પ્રભુતાથી ભર્યા પડયા છે! એવી નિષ્ક્રિય ચીજ (ભગવાનઆત્મા ) માં રાગાદિ પરિણમતિનો અભાવ છે. આહા... હા !
‘બંધના કારણભૂત જે ક્રિયા, તે-રૂપ, (શુદ્ધપારિણામિકભાવ) નથી.' ભાષા જુઓ! એ શુભ અને અશુભ રાગની ક્રિયા, એ બંધના કારણભૂત છે. એ પણ સાથે સિદ્ધ કરે છેઃ શુભઅશુભભાવ છે તે બંધનું કારણ (છે). દયા, દાન, વ્રત, ભક્તિ, પડિયા આદિના ભાવ, બધાં બંધનાં કારણ છે. આહા.. હા! આકરું પડે (લોકોને ). “ બંધના કારણભૂત જે ક્રિયા ” ( એટલે કેઃ) રાગ-દ્વેષ, વિષયવાસના, દયા, દાન, વ્રતાદિની (ક્રિયા ) –“રાગાદિ પરિણતિ,” તે-રૂપે શુદ્ધપારિણામિકભાવ નથી.
*
આહા... હા! અહીં તો આ બહારની-શરીરની, ઇન્દ્રિયોની-ચેષ્ટા, અને એની વિશેષતા ભાસે, ત્યાં તો તે મિથ્યાત્વભાવ છે. પોતાની વિશેષતા ભાસે નહીં; અને પ૨ની કંઈ પણ, કોઈ ચીજની વિશેષતા (ભાસે કે, આ મને હો તો ) ઠીક..! (અથવા) પોતાની ચીજની વિસ્મયતા આગળ એ (પરચીજ) પણ વિસ્મય (કારી ) છે! –એવું જાણવું, તે મિથ્યાત્વ છે. (પરંતુ ) એ મિથ્યાત્વની ક્રિયા, દ્રવ્યસ્વભાવમાં નથી. બંધના કારણ જે ) મિથ્યાત્વ-રાગાદિ; એ દ્રવ્યસ્વભાવમાં નથી. આહા... હા.! સમજાય છે કાંઈ ?
“અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ ” ( અર્થાત્ ) મોક્ષના કારણરૂપ ક્રિયા, એટલે વીતરાગી પરિણતિ, અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) જે વીતરાગી દશા, એ શુદ્ધભાવના પરિણતિ (છે). (એ) શુદ્ધભાવ નથી. શુદ્ધભાવ (તો ) જે ત્રિકાળી (દ્રવ્ય ); તે તો ‘ નિષ્ક્રિય ’ છે. ( અને ) આ શુદ્ધભાવની પરિણતિ-પર્યાય; (એ) મોક્ષના કારણભૂત ‘ક્રિયા’ (છે). આહા.. હા.. હા!
અરે! રાગાદિ ક્રિયાની તો ક્યાં વાત કરીએ? એ (જે) દયા, દાન, વ્રત અને પડિયાનો વિકલ્પ છે, એ તો બંધના કારણો છે. એ રાગની ક્રિયાનો તો, પ્રભુ! આત્મામાં અભાવ છે. કારણ કે એ તો (બંધકારણભૂત ) પર્યાય છે. અને વસ્તુ તો અબદ્ધ છે, મુક્તસ્વરૂપ છે! આહા.... હા... હા!
“અને મોક્ષના કારણભૂત જે ક્રિયા ”—સમ્ય વર્શનજ્ઞાનવારિત્રણિ મોક્ષમાર્ન:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com