________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨: પ્રવચન નવનીત ભાગ - ૧ “વ્યક્ત' કહ્યું હતું. અહીં એકલો “વ્યક્ત' કહ્યો. “જાણવાલાયક” છે, એમ તો પહેલા (બોલ) માં મૂકયું હતું. પણ અહીંયાં “વ્યક્ત” લે છે કે એ શુભભાવ જે આસ્રવ કરવા લાયક અને (દ્રવ્યકર્મ) કરવાવાળો-એ બધા “વ્યક્ત' છે, “સ્થૂળ' છે. સમજાણું કાંઈ ? રાગની મંદતાનો, ચિત્તશુદ્ધિનો ભાવ-એ વ્યક્ત છે, સ્થૂળ છે; એનાથી “જીવ” અન્ય છે. એ (શુભભાવ) સ્થૂળ છે,
વ્યક્ત” છે. તો એનાથી “જીવ’ ભિન્ન-સૂક્ષ્મ છે. “અવ્યક્ત” છે. આહા.... હા ! ઝીણી વાત છે, ભાઈ !
અરે! એણે (જીવે) આત્માની કદી દરકાર કરી નથી ! બહારથી ક્યાં ભણવું-શીખવું? ઉપદેશ દેવો; બહારમાં પડવું; લોકો કંઈક મને માને; એમ દેખાદેખીથી બહારની ચીજમાં રોકાઈ ગયો! હું કંઈક શીખ્યો છું. મને સમજણ-જ્ઞાનાદિ છે, આવડત છે. તેને પણ અંદર એવી થોડી મીઠાશ રહી જાય કે, લોકોને ખ્યાલમાં આવી જાય કે એને કંઈક જ્ઞાન છે. એવી મીઠાશ
ભાવકનો ભાવ” છે. આહા... હા! સમજાણું કાંઈ ? અને બીજા થોડા કરે તો આપણે ઘણા કરીએ. બીજા થોડું દાન આપે તો આપણે ઘણું દઈએ. બીજા બે-ચાર મંદિર બનાવે તો આપણે દશ-પંદર બનાવીએ-એવી રાગની મંદતામાં હોવાહોડી ચાલતી હોય ! તો તે પણ “ભાવકનો ભાવ' છે. એમાં આત્માનું કાંઈ કલ્યાણ નથી.
“કષાયોનો સમૂહ' માં એ બધું લઈ લધું. ફક્ત પહેલા (બોલ) માં શેય બતાવીને વ્યક્ત કહ્યું છે. હવે વ્યક્તથી અવ્યક્ત. બસ! એટલું સ્પષ્ટ કરે છે. જ્ઞય તો તેમાં (વ્યક્તમાં) બતાવ્યું છે. ખરેખર તો આત્મા “જ્ઞાયક' છે. રાગની મંદતા, એ પરશેય' છે; એ “સ્વય” નથી. સ્વજ્ઞયા તો જ્ઞાયક છે. અને દાય, દાન, વ્રત, રાગની મંદતાનો ભાવ તે ચાહે તો શાસ્ત્રની પૂજા હો. ભગવાનની પૂજા હો, કે મંદિરની પૂજા હો-એ બધા શુભભાવ વ્યક્ત” છે; “શૂળ' છે. એનાથી, ભગવાન આત્મા ભિન્ન છે. આહા.. હા ! કષાયોનો સમૂહ” એટલામાં બધું આવી ગયું!
થોડી થોડી વાત હવે લોકો બહાર નાખે છે. (એક શ્વેતાંબર સાધુએ) હવે જૈનપત્રિકામાં થોડુંક કાંઈક નાખ્યું (લખ્યું) છે. પણ એમાં જરી ગોટો છે. એણે નાખ્યું છે કે અત્યારે બધી ક્રિયાકાંડની હોડીહોડી ચાલે છે, એમાં આત્માનું કંઈ જ્ઞાન નથી- આત્મજ્ઞાન નથી. શ્વેતાંબરોમાં બહુ ચાલે છે ને ! કે: આ ઉપધાન કરે છે ને.... આમ કરે છે ને... આટલા શિષ્ય બનાવ્યા ને. (પણ) એમાં કાંઈ માલ નથી, ભાઈ ! પણ પાછું થોડું નાખે કેઃ ચિત્તશુદ્ધિ કરવી... રાગ મંદ થાય તો પછી અનુભૂતિ થાય છે.
અહીં તો કહે છે કે: અનંતવાર ચિત્તશુદ્ધિ કરી. નવમી રૈવેયક ગયો. પ્રભુ! તે સાંભળ્યું નથી એવી ચિત્તશુદ્ધિ અને શુક્લ લેશ્યા તો અત્યારે નથી. આહા.... હા! પણ, એવી શુક્લ લેગ્યાથી (આત્માની) પ્રાપ્તિ ન થાય. કારણ કે પ્રભુ (આત્મા) તો અલેશ્યી, અવ્યક્ત, શુદ્ધ, ચૈતન્યઘન છે. તે તો પોતાના સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. તે શુભરાગ અને વ્યવહારથી પ્રાપ્ત થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com