________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૩૦૭
વિશેષથી નહીં ( આલિંગિત ) –સ્પર્શિત એવું શુદ્ધ છે. અહીંયાં પર્યાયવિશેષથી નહીં (આલિંગિત ) –સ્પર્શિત એવું શુદ્ધ દ્રવ્ય છે.
જિજ્ઞાસા: ગુણવાળું દ્રવ્ય અને પર્યાયવાળું દ્રવ્ય બન્ને એક જ છે કે ફેર છે?
સમાધાનઃ બન્નેમાં ફરક છે. ગુણ તો ત્રિકાળ રહેવાવાળા છે અને પર્યાય એક ક્ષણની છે. પણ એ ભેદ નથી, એમ બતાવવું છે. ગુણમાં અને પર્યાયમાં મોટો ભેદ છે. ગુણ તો ત્રિકાળી છે અને પર્યાય તો ક્ષણિક છે. પણ ‘ત્રિકાળી ' ગુણવિશેષથી નહીં આલિંગિત, ગુણવિશેષના ભેદથી નહીં. આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે!
(
(પછી ૨૦મો બોલ ) “લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ ” (પ્રત્યભિ એટલે આ છે.. છે.. છે, એવો ધ્રુવ ત્રિકાળ) “એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય ” ( ત્યાં ૧૮-૧૯ માં પણ અર્થાવબોધ લીધું છે. બાકી ( અહીં તો ) ત્રિકાળી દ્રવ્ય છે. અર્થાવબોધસામાન્ય એટલે પદાથનું જ્ઞાનરૂપી સામાન્ય નહીં પણ આખો પદાર્થ સામાન્ય, એમ લેવું છે.) “તે જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત ” એટલે કે આત્મા દ્રવ્યને આલિંગન નથી કરતો. પોતાની પર્યાયનું આનંદનું વેદન કરે છે. એ ‘પર્યાય' આત્મા છે! વેદનની અપેક્ષાએ આત્મા પોતાને-ત્રિકાળીનેઆલિંગન નથી કરતો. આહા.. હા!
-
(
( અહીંયાં ) શું કહે છે? કે: મોક્ષનો પ્રસંગ આવતાં (-બનતાં) આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય ) નો વિનાશ થઈ જાય છે. અર્થાત્ જ્યારે મોક્ષ થશે મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થશે. જો આ મોક્ષમાર્ગની પર્યાય આત્માથી સર્વથા અભિન્ન હોય તો (જ્યારે મોક્ષ થશે ત્યારે એ પર્યાયનો તો નાશ થશે, તો અવિનાશી આત્મદ્રવ્યનો પણ નાશ થશે ). અહીં તો પ્રદેશની અપેક્ષા લઈને (પર્યાયને ) ‘કથંચિત ભિન્ન ’કહી કે પોતાના પ્રદેશમાં છે ને...! એ અપેક્ષા રાખી છે. નહીંતર તો પ્રદેશે ય ખરેખર ભિન્ન છે. પણ અહીં અસંખ્ય પ્રદેશમાં પર્યાય છે, એમ લઈને કથંચિત ભિન્ન કહી. પોતાના પ્રદેશમાં છે. પણ અપૂર્ણ છે. તો (પૂર્ણતા-) મોક્ષ તો થશે જ. (તો) જો આ પર્યાયની સાથે દ્રવ્ય અભિન્ન હોય તો, આ (મોક્ષમાર્ગની) પર્યાયનો નાશ થશે ત્યારે, અવિનાશી (આત્મા ) નો પણ નાશ થઈ જશે, માટે ભિન્ન છે!
આહા...હા...હા ! આવું વ્યાખ્યાન છે!! અત્યારે બહુ ફેરફાર થઈ ગયો, પ્રભુ! અહીં તો સોનગઢ (માટે) લોકો કહે છે: એકાંત છે.. એકાંત છે! (પણ ) સાંભળ ભાઈ! સાંભળ બાપા ! (અહીંયાં તો એમ કહે છે કેઃ) એકાંતરૂપી (જો મોક્ષમાર્ગની પર્યાય ) શુદ્ધ પારિણામિકથી ( અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ આવતાં, એ ભાવનારૂપ-મોક્ષકારણભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com