SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬: પ્રવચન નવનીત ભાગ-૧ સ્પર્શતી નથી. એ (પર્યાય) દ્રવ્યને તો અડતી જ નથી. આહા. હા. હા! ૧૮ મો બોલ છે: ભગવાનભા ગુણવિશેષથી આલિંગિત નથી. ભેદ નથી અર્થાત ગુણી અને ગુણની સાથે આલિંગન-એકપણું નથી; અભિન્ન છે. એકપણું એટલે ગુણ અને ગુણી એવો ભેદ છે, એમ નથી. (ગુણ-) ગુણીના ભેદના આલિંગન વિનાનું દ્રવ્ય છે. આહા... હા! ત્રિકાળી જે સમ્યગ્દર્શનનો વિષય-પ્રભુ ભગવાન- એ ગુણના વિશેષ ભેદથી–આલિંગનથી રહિત છે. અને પછી કહ્યું છે કેઃ પર્યાયવિશેષના આલિંગનથી રહિત છે. (અર્થાત્ ) અભેદ ભેદને સ્પર્શતું નથી. અલિંગગ્રહણ” નાં વ્યાખ્યાન થઈ ગયાં (છે). અહીં છે ને.... ભગવાનનો આધાર છે ને....! જુઓઃ “પ્રવચનસાર” ગાથા-૧૭ર: (બોલ-૧૮) “લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી (અર્થાત્ ગુણભેદ જેને નથી) તે અલિંગગ્રહણ છે.” “અલિંગગ્રહણ”. છ અક્ષરમાંથી ૨૦ બોલ નીકાળ્યા છે. અલૌકિક વાત છે! બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. એ ટેપ ઉપરથી બહાર (પુસ્તકમાં) આવશે. લિંગ અર્થાત્ ગુણ એવું જે ગ્રહણ, અર્થાત અર્થાવબોધ. અર્થાવબોધ તો જ્ઞાન લીધું છે. જ્ઞાનની મુખ્યતાથી લીધું છે. બાકી પાઠ તો અર્થાવબોધ છે. (માત્ર) જ્ઞાનનો ભેદ (એમ) નહીં, પણ અનંત ગુણનો ભેદ નહીં, એમ લેવું, પાઠમાં અથવબોધ છે. પદાર્થનો અર્થાવબોધ-જ્ઞાન, એવો ભેદ એમાં નથી. અથવા અનંત ગુણનો ભેદ (તે જેને નથી), એમ લેવું. એ તો એવો શબ્દ લીધો છે. અર્થાવબોધ તો જ્ઞાન છે, પણ અર્થની સાથે રહેલા જે અનંત ગુણ, એ ગુણનો અભેદ, ભેદને સ્પેશતો નથી. અરે. રે! આવી વાતો !! આ તો ૧૮ મો (બોલ) છે. હવે ૧૯મો કહીએ છીએનેઆ તો પહેલાં ગુણની સાથે અભેદ છે. પછી પર્યાય (લીધી). (બોલ–૧૯) “લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ (તે જેને નથી તે અલિંગગ્રહણ છે).” “અર્થાવબોધ' એ શબ્દ ત્યાં (૧૮માં બોલમાં) પણ લીધો છે ને...? તે “અર્થાવબોધ” જ્ઞાનની પર્યાય લીધી. પણ બધી પર્યાય લેવી. પાઠ એવો લીધો છે. જ્ઞાનપ્રાધાન્ય કથન કર્યું છે. એ અર્થાવબોધ, પર્યાયવિશેષ તે જેને નથી. આત્મામાં એ જ્ઞાનવિશેષ નથી. જ્ઞાનની વિશેષ પર્યાય દ્રવ્યમાં નથી. આહા.... હા... હા! અરે... રે! આવી વાતો !! વીતરાગ પરમાત્મા (ના) સંતોએ આડતિયા થઈને જગતને વીતરાગની વાત કરી! આવી દુર્લભ વાત (જેને) સાંભળવા મળે એ પણ ભાગ્યશાળી છે. આહા... હા! પર્યાયવિશેષ. અર્થાવબોધવિશેષ. પાઠ અર્થાવબોધ વિશેષ છે. - અર્થ+અવબોધ+વિશેષ. પણ બધી પર્યાય લેવી. પહેલાં (૧૮મામાં) અર્થાવબોધમાં બધા ગુણ લેવા. અને અહીં બધી પર્યાય લેવી. – તે જેને–આત્માને નથી, તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહીં આલિંગિત અર્થાત્ પર્યાયવિશેષથી અસ્પષ્ટ ( નહીં સ્પર્શિત) એવું શુદ્ધ દ્રવ્ય છે. ૧૮માં બોલમાં એમ કહ્યું હતું. આભા ગુણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy