SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨: પ્રવચન નવનીત ભાગ-૧ ‘તત્ત્વાર્થસૂત્ર’ સંવર અધિકારમાં અનિત્ય આદિ બાર ભાવના આવે છે. એ (ભાવના) પણ જો વિકલ્પથી કરે, તો તે સંવર નથી. સંવર અધિકારમાં અનિત્ય આદિ બાર ભાવનાને સંવરના ભેદ ગણ્યા છે. ( અહીં તો ) અંદર ( શુદ્ધસ્વરૂપ દ્રવ્ય ( છે ) તે તરફના ઝુકાવથી, પર્યાય ઉત્પન્ન થઈ, એ પર્યાયને ‘ભાવના' કહે છે. ‘ભાવના' અર્થાત ચિંત્વન અને વિકલ્પ કેઃ ‘મારું દ્રવ્ય મળે તો ઠીક,' એ નહીં. અહીંયાં તો, એ વસ્તુ પૂર્ણાનંદના નાથ તરફની અંદ૨ વીતરાગભાવથી એકાગ્રતા; એ વીતરાગસ્વરૂપમાં એકાગ્રતા; વીતરાગસ્વરૂપ ભગવાનઆત્મા, ત્રિકાળી વીતરાગમૂર્તિ પ્રભુ આત્મામાં, વીતરાગભાવથી એકાગ્રતા થવી;- એ ભાવનાને નિત્યથી કથંચિત્ ભિન્ન કહેવામાં આવી છે. વાતો તો આવી છે, બાપુ! શું થાય ? “(કથંચિત્ ભિન્ન છે. શા માટે?) ભાવનારૂપ હોવાથી.” ત્રિકાળી ભાવ જે જ્ઞાયકભાવ (છે), એની તો એ ભાવના છે. એ (જ્ઞાયકભાવ) તરફના ઝુકાવનાં પરિણામ છે. એ કાયમી ચીજ નથી. એ પરિણામ અનિત્ય છે. નિત્યના અવલંબને થયાં પણ એ પરિણામ અનિત્ય છે. 66 ( તે પરિણામ ) ત્રિકાળીથી કથંચિત્ ભિન્ન કેમ ? કેઃ એ ભાવનારૂપ હોવાથી. ” આહા... હા! શુદ્ધપારિણામિક (ભાવ ) ( તો ) ભાવનારૂપ નથી. આહા.. હા! ભગવંત! તારું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ, શુદ્ધપારિણામિક સ્વભાવભાવ. ત્રિકાળ નિરાવરણ, ત્રિકાળ અખંડ, એકસ્વરૂપ, એવો શુદ્ધપારિણામિકભાવ, ( તે ) ભાવનારૂપ નથી. અર્થાત્ એ શુદ્ધપારિણામિકભાવ‘ભાવનારૂપ ’ નથી. શુદ્ધપારિણામિકભાવ એ ‘પર્યાયરૂપ ' નથી. આહા... હા! ભગવાન શુદ્ધપારિણામિકભાવ, જે સમ્યગ્દર્શનનો વિષય છે; એની અંતરમાં એકગ્રતા કરીને ( જે ) સમ્યગ્દર્શન આદિ થયું, તે ‘ પર્યાય ' છે. આહા... હા! શુદ્ધપારિણામિકભાવ એ ‘ભાવનારૂપ ’ નથી. ‘ભાવના' તો પર્યાયરૂપ છે. શુદ્ઘ દ્રવ્ય એ પારિણામિક (ભાવ) છે; એ ‘ભાવનારૂપ ’ નથી. આહા... હા! આવી વાતો છે, બાપા! અરે.. રે! ચોર્યાશીના અવતારથી છૂટવાના પંથ... પ્રભુ ! ‘ આ ’ છે. આવો પંથ છે પ્રભુ! ભગવાનઆત્મા ચૈતન્યરત્નાકર-ચૈતન્યના રત્નનો આકર એટલે દરિયો છે, સમુદ્ર છે. ભગવાન ચૈતન્યનાં ચૈતન્યરત્ન-ચૈતન્ય, દર્શન, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, વિભુતા, પ્રભુતા વગેરે એવાં અનંત ચૈતન્યરત્નોનો રત્નાકર-દરિયો-સમુદ્ર છે! છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતમો છે; જેમાં નીચે (તળિયે ) વેળુ ( રેતી ) નથી. વેળુના ઠેકાણે અનાદિથી એકલાં રતન ભર્યાં છે. એ તો અસંખ્ય હોય છે, કારણ કે (સમુદ્ર) અસંખ્ય યોજનનો છે. (પણ) આ સ્વયંભૂ ભગવાનમાં એકલાં ચૈતન્યરત્નાકર અનંત ભર્યાં છે. આ પ્રભુમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy