SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪: પ્રવચન નવનીત ભાગ-૧ તે વ્યવહારનયનો વિષય (છે). ક્ષાયિકભાવ (પણ) વ્યવહારનયનો વિષય (છે). તો “વ્યવહારનયનો વિષય નથી' એમ નથી. “ઘીનો ઘડો” જેમ જૂઠો છે, તેમ “ક્ષયિકભાવ” – વ્યવહારનયનો વિષય “જૂઠો” છે, એમ નથી. એક (મુમુક્ષુ) નો પત્ર આવ્યો છે. નામ-ઠામ નથી લખ્યું. “એક શોધક' એમ કરીને ખાનગી પત્ર આવ્યો છે. છે એ અંદર (સભામાં) બેઠા છે. કે વ્યવહાર જૂઠો.... જૂઠો કરીને શું આ બધું એકાંત થઈ ગયું બહુ..! –ભાઈ ! વ્યવહાર તો એ (“ઘીનો ઘડો' ) આ જૂઠો (છે); પણ “પર્યાય” એ જૂઠો વ્યવહાર નથી. સમજાણું કાંઈ ? “વ્યવહાર જૂઠો છે' તો એ ક્યો વ્યવહાર જૂઠો છે? કે: “પોતાની (આત્માની) પર્યાયને ઘાતકર્મ ઘાતે છે,” એ વ્યવહાર જૂઠો છે. પણ પોતાની પર્યાયમાં ઘાત થાય છે' એ જૂઠો નથી-એ છે! જિજ્ઞાસા: કેટલાક વ્યવહાર સાચા છે અને કેટલાક વ્યવહાર જૂઠા છે? સમાધાનઃ બધો વ્યવહાર છે. સભૂતવ્યવહાર છે અનેઅસતવ્યવહાર છે. અધ્યાત્મનય” માં આત્મામાં જે રાગ આવે છે, તે જાણવામાં આવે-એને અસભૂત ઉપચારવ્યવહારનય કહે છે. અને એ રાગ વખતે જે સૂક્ષ્મ (–અબુદ્ધિપૂર્વકનો) રાગ ખ્યાલમાં નથી આવતો, (કેમકે) ઉપયોગ સ્થૂળ છે, સમકિતીનો પણ ઉપયોગ સ્થૂળ છે (તેથી તેવો) રાગ ખ્યાલમાં નથી આવતો, એ રાગ અસભૂત અનુપચાર છે. પણ (એ વ્યવહારો છે! આ અસભૂત વ્યવહારનયના બે-બે ભેદ છે. આ તો હજી અધ્યાત્મના (નયની વાત છે ).. હોં ! આગમના નય તો વળી ઘણા (ભેદ-પ્રભેટવાળા) છે. આગમના નય તો પરને પણ વ્યવહાર કહે છે. આ (પોતાની પર્યાય) તો અધ્યાત્મના નય (છે). એ અહીંયા કહે છે: એ “અશુદ્ધ પારિણામિક' કેમ? કે: સંસારીઓને દશ પ્રાણ છે, ભવ્યત્વની પર્યાય છે, અભવ્યત્વની પર્યાય છે; એ “વ્યવહારનય થી છે. અશુદ્ધ પારિણામિક કહો કે વ્યવહારનય કહો... પણ છે” પર્યાયનયથી! (તે) પર્યાયયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. “અશુદ્ધ પારિણામિકભાવ” છે! એનો વિષય છે! જેમ “ઘીના ઘડા' નો વિષય નથી, જૂઠો છે; તેમ આ જૂઠો છે' એમ નથી. સમજાણું કાંઈ ? આહા... હા! “સિદ્ધોને તો સર્વથા જ” (અશુદ્ધ પારિણામિક ભાવ નથી). અર્થાત્ સિદ્ધોને તો (એ) દ્રવ્યમાં પણ નથી અને પર્યાયમાં પણ નથી. (પરંત) સંસારી પ્રાણીઓને ભવ્યત્વની યોગ્યતા અને અભવ્યત્વની યોગ્યતા છે. એ પર્યાયનયનો વિષય છે; સિદ્ધોને “એ” નથી. અને સંસારીઓને “શુદ્ધનયે નથી. અર.. ૨! આટલું બધું (સમજવું ) હવે ! જીવત, ભવ્ય અને અભવ્યત્વ-એ ત્રણે પર્યાયનયનો વિષય છે. પણ છે! એ જેમ “ઘીનો ઘડો” જૂઠો છે તેમ “આ” જૂઠો નથી. સમજાણું કાંઈ ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy