SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩ર : ર૬૧ જ્યારે વિકાર થાય છે-કર્મની પર્યાય; કયા ગુણની પર્યાય વિકાર (રૂપ) થઈ છે? એમ કહે છે કેઃ પર્યાયનો સ્વભાવ છે. એ ગુણ નથી. એવો પાઠ “ચિવિલાસ' માં છે. (શ્રોતા ) કેવો પાઠ છે? (ઉત્તર) એ એમ કે: કર્મની પર્યાય ક્યા ગુણની પર્યાય છે; ગુણ છે કે નહીં કોઈ ? કર્મની પર્યાય છે, (તો) પરમાણુ છે એમાં (એવો) ગુણ છે? કે ગુણ નથી. કર્મની પર્યાય અદ્ધરથી થાય છે. બે બોલ છે. આત્માની પર્યાયમાં (જે) વિકાર થાય છે, તો વિકારનો કોઈ ગુણ છે અંદર? કે: ના. પર્યાયમાં વિકાર તો, ગુણ વિના, અદ્ધરથી થાય છે. આહા. હા! વિકાર (રૂપ) પર્યાય ક્યા ગુણની ? કે ગુણ તો બધા નિર્મળ છે. એની પર્યાયમાં (વિકાર) ક્યાંથી આવે? જિજ્ઞાસાઃ અત્યાર સુધી તો (આપશ્રીથી) બે પર્યાય નવી નીકળી- “ક્રમબદ્ધપર્યાય' અને “કારણશુદ્ધપર્યાય' , પણ (હવે ) આ “અદ્ધરપર્યાય” નવી નીકળી? સમાધાનઃ કારણ શુદ્ધ પર્યાય” એ તો ત્રિકાળી છે. છે નવી, બાપુ! કારણ શુદ્ધ પર્યાય ( વિષે) બે હજારની સાલમાં ઘણી સ્પષ્ટતા કરી હતી. ઝીણી વાત છે, પ્રભુ? જેમ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ નિત્ય છે; એની પર્યાયમાં પણ “કારણ પર્યાય” ધ્રુવ-ઉત્પાદ-વ્યય વિનાની કારણ પર્યાયત્રિકાળ છે. આહા. હા! સાંભળ્યું ય નથી ક્યારેય-કારણ પર્યાય અને ક્રમબદ્ધપર્યાય. એ નવી વાત છે. ૩પ વર્ષ પહેલાં કારણ પર્યાયને સ્પષ્ટ કરી છે. એ બધી વાત “નિયમસાર” ની ૧૫ મી ગાથામાં છે. જુઓ! કે- આ આત્મા જે છે, એ વિકારરહિત છે, કમરહિત છે; પણ એ ધ્રુવ છે. અને ધ્રુવની પર્યાયમાં પણ એક કારણ પર્યાય ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય વિનાની એ કારણ પર્યાય ધ્રુવ છે, “નિયમસાર” શાસ્ત્રમાં છે. એવું બીજું નથી. આ તો વીતરાગની વાણી છે, ભાઈ ! કારણ શુદ્ધ પર્યાય” એ ત્રિકાળી (આત્મા) નહીં. ત્રિકાળી ખરી, પણ પર્યાયમાં ત્રિકાળી. આહા.. હા ! સમજાણું કાંઈ ? જિજ્ઞાસા: પર્યાય, એ ત્રિકાળી કેમ ? સમાધાન: ત્રિકાળી પર્યાય ધ્રુવ. જેમ સમુદ્ર છે-નકશો બનાવાયો હતો. ત્યાં (સ્વાધ્યાયમંદિર, સોનગઢમાં) છે હજી. બહાર પાડવો હતો બે પંડિતોને પૂછયું હતું. પણ (તેમને) કાંઈ ખબર નહીં, (પંડિતોએ) કહ્યું કે કારણ પર્યાય તો આત્માની વાત છે. આત્માનો ત્રિકાળી સ્વભાવ છે.” બાપુ! અહીં એ વાત નથી. “આ તો પર્યાય છે.' તો તેમણે એમ કહ્યું કે: “પારિણામિકભાવની પર્યાય છે, શુદ્ધ પારિણામિક ભાવની પર્યાય છે.” એ (કારણ પર્યાયની) વાત ક્યાંથી લીધી, એનો પત્તો (પંડિતોને) લાગ્યો નહીં. જ્યારે (નિયમસાર” ઉપરનાં પ્રવચનો) ગાથા ૧ થી ૧૯ છપાણાં ત્યારે તેમાં એ નકશો છપાવાનો હતો; (પરંતુ) છોડી દીધું બધું. બહારમાં (જ્યાં) આ પંડિતો નહીં સમજે તો બીજાં સાધારણ માણસ સમજશે નહીં. આત્મા જે છે, એ ત્રિકાળી ધ્રુવ છે; તો એની પર્યાય પણ ત્રિકાળી ધ્રુવ છે. કેમકે, ધર્માસ્તિઅધર્માસ્તિ-આકાશ-કાળ જે છે એનાં દ્રવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy