SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦: પ્રવચન નવનીત ભાગ-૧ આહા... હા! આવી બધી ભાષા!! એવો માર્ગ!! ઘણો વીંખાઈ ગયો, બાપુ ! વીતરાગ પરમાત્માની હાજરી નથી. કેવળજ્ઞાન પરમાત્માની હાજરી નથી. (અહીંયાં ) વિરહ પડયા. પ્રભુ ત્યાં (મહાવિદેહમાં ) રહ્યા. ફેરફાર ઘણો થઈ ગયો છે. સાચી વાતને ખોટી ઠરાવનારા ઘણા થઈ ગયા છે. અને ખોટી વાતને સાચી વાત માનવાવાળા ઘણા થઈ ગયા છે. ‘ચોર કોટવાળને દંડે છે.' કોટવાળ તો પકડે, પણ (ઊલટા) ચોર કોટવાળને (પકડે )! કેમકે ઝાઝા ચોર થઈ ગયા કોટવાળ એક. પચીસ-પચાસ-સો ચોર થઈને (કોટવાળને ) પકડી લીધો. જયસેનાચાર્યની સંસ્કૃત ટીકામાં પાઠ છે: “ કોટવાળ છે એને ચોર પકડે છે. ” વાસ્તવિક-તત્ત્વદષ્ટિ (જેને) છે એને લોકો ખોટા-અજ્ઞાની ઠરાવે છે! આહા.. હા! શું લખાણ !! આચાર્યોએ કામ કર્યાં છે!! આહા.. હા! જગતની કરુણા !! દેખીને ખેદ થયો છે, અરે.. રે! પ્રભુ! તને શું થયું છે? પ્રભુ! તું ક્યાં જાય છે? તા૨ો સ૨વાળો-પરિણામ શું આવશે ? ભણે છે તેનું પરિણામ પરીક્ષા વખતે આવે છે (તેમ) પ્રભુ! તારું પરિણામ શું આવશે ? તું ક્યાં જઈશ નાથ? તારી શું ચીજ!! તારી ચીજની તને ખબર નથી, અને પરચીજને તું પોતાની માની (રહ્યો છે)! તે પરચીજ-સંયોગ તારો પીછો નહીં છોડે. એ સંયોગથી તારે રખડવું પડશે. આહા.. હા ! અહીં તો પ૨મ પારિણામિક સ્વભાવની જ દૃષ્ટિ કરાવવી છે. ભવ્ય, અભય અને જીવત્વમાં ‘જીવત્વશક્તિ' જે ત્રિકાળી પારિણામિક સ્વભાવભાવ છે, એની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, એ ( જીવત્વશક્તિને) પારિણામિક ભાવ સંજ્ઞાનું નામ મળે છે. (અને ) એ પારિણામિકભાવની અનુભૂતિ-ભાવને સમ્યગ્દર્શન નામ મળે છે. એ ત્રિકાળીને પારિણામિક નામ-સંજ્ઞા મળે છે. અને એના અનુભવને સમ્યગ્દર્શન નામ મળે છે. સમજાણુ કાંઈ ? આહા.. હા! એ (જીવત્વશક્તિ ) તો બંધ-મોક્ષ-પર્યાય પરિણતિરહિત છે. એ જીવત્વશક્તિ-ત્રિકાળ ૫રમ સ્વભાવભાવ- એ તો બંધ અને મોક્ષ-પર્યાયની પરિણતિથી રહિત છે. (એમાં ) બંધ-મોક્ષ તો નથી; પરંતુ (એ ) બંધ-મોક્ષની પર્યાયથી (પણ ) રહિત છે. મોક્ષની પર્યાયથી પણ એ વસ્તુ તો રહિત છે. આહા.. હા પરંતુ હવે બીજી વાત લેવી છે; જી સૂક્ષ્મ પડશે. *** [પ્રવચનઃ ૧-૮-૭૯ ] સમયસાર ’ ૩૨૦-ગાથા. જયસેનાચાર્યની ટીકા. અહીં (સુધી) આવ્યા છીએ કેઃ ત્રિકાળી આત્મામાં જીવત્વશક્તિ અથવા પારિણામિક સ્વભાવ- જીવત્વશક્તિ જે પરમાત્મસ્વરૂપએ ઉપ૨, ચારે બાજુથી (–સર્વપ૨ તરફથી ) દષ્ટિ હઠાવીને, પહેલાં શ્રદ્ધાને જોડવી. ઝીણી વાત છે, પ્રભુ! એ વિના, ઉપદેશમાં (કોઈ ) એમ લે કેઃ વ્યવહા૨ વ્રત ને તપ ને ભક્તિ કરતાં કરતાં (શ્રદ્ધા સમ્યક્) થશે, તો એ તો મિથ્યા ઉપદેશ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy