SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮: પ્રવચન નવનીત ભાગ-૧ ઉ૫૨થી થોડું વાંચન કરે.. અને સમજી જાય કે ‘અમને ઘણું જ્ઞાન થઈ ગયું!' (એ યથાર્થ જ્ઞાન નથ ) સમ્યજ્ઞાન એ કોઈ અલૌકિક ચીજ છે, ભાઈ ! આહા.. હા ! જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે. એ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવ ) નથી. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણપારિણામિક (ભાવ ) પણું તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત (એટલે કે) શુદ્ઘ દ્રવ્યના આશ્રયથી, જે નય શુદ્ધ દ્રવ્યને જુએ છે એવા આશ્રયથી (છે.) વસ્તુ નિરાલંબ છે. અને (એને ) ‘શુદ્ધ પારિણામિક ભાવ ' એવી સંજ્ઞાવાળું જાણવું. શુદ્ધ જીવત્વ એવા શક્તિરૂપ પારિણામિકપણું-એ શુદ્ધ પારિણામિક ભાવ' છે આહા.. હા! પ્રભુ ત્રિકાળ, ત્રિકાળ શુદ્ધસ્વરૂપશક્તિરૂપ ગુણ છે-એ શુદ્ધ પારિણામિક ભાવ ' એવી સંજ્ઞાવાળું જાણવું. એ નામ એનું છે. (શ્રોતાઃ ) કોનું (નામ ) ? (ઉત્તર:) આત્માનું. આત્મા જે શુદ્ધ જીવત્વશક્તિસ્વરૂપ ત્રિકાળ છે એને શુદ્ધ પારિણામિકપણું કહેવામાં આવે છે. એને ‘શુદ્ધપારિણામિક’ સંજ્ઞા ( અર્થાત્ ) ‘શુદ્ધ પારિણામિક' એવું નામ કહેવામાં આવે છે. આહા... હા ! ‘સમયસાર’ ૧૪૪-ગાથામાં કહ્યું છે ને.! કેઃ આ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ (છે) એનું સમ્યગ્દર્શન ( એટલે ) એની દૃષ્ટિ થઈ, અનુભવ થયો તો તે એ પર્યાયને ‘ સમ્યગ્દર્શન ’ નામ કહેવામાં આવે છે. જેમ ( અહીંયાં ) આ પારિણામિકભાવને સંજ્ઞા નામ કહેવામાં આવ્યું છે. ગાથાઃ “સમ્મદંસળળળ સો નહવિ ત્તિ નવરિ વવવેસં સવ્થળયપવ દિવો મળિવો નો સો સમયસારો”।। ૬૪૪।। ‘હું શુદ્ધ છું, અબદ્ધ છું’ એવા વિકલ્પથી પણ રહિત જે સમ્યગ્દર્શનનો વિષય, એને વિષય બનાવીને સમ્યગ્દર્શન થયું, તેને ‘સમ્યગ્દર્શન’ નામ કહેવામાં આવે છે. “ વ્યપવેશ ” છે ને..? વ્યપદેશ કહો કે નામ કહો. ત્યારે તો તેને. ‘સમ્યગ્દર્શન' એવું નામ કહેવામાં આવે છે. (તેમાં) વ્યવહાર શ્રદ્ધાનો ભાવ તો છે જ નહીં; એ તો રાગ છે; એની તો વાત પણ નથી. આહા.. હા! પોતાનો સ્વભાવ જે એક સમયમાં પૂર્ણાનંદ, વિદ્યમાન, પૂર્ણ (છે) એની અનુભૂતિ, એનો અનુભવ, વેદનમાં આનંદનું આવવું-એને સમ્યગ્દર્શન અને જ્ઞાન સંજ્ઞા-નામ કહેવામાં છે. સમજાણું કાંઈ ? જુઓ! ટીકાની ત્રીજી લીટી:“આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ મળે છે” 29 અહીં તો ‘સંજ્ઞા ” કહ્યું ને? વ્યવહાર સમકિતની તો વાત જ ક્યાં? એ તો છે જ નહીં. એ (તો) રાગ છે. ‘ ભગવાન આત્મા ’ શુદ્ધ જીવત્વશક્તિસ્વરૂપ પારિણામિક ભાવ, ત્રિકાળ પરમ પારિણામિક ભાવ છે, ( અને ) એનો અનુભવ એ ‘પર્યાય ' (છે); એ અનુભવને ‘સમ્યગ્દર્શન ’ નામ ત્યારે મળે છે કે જ્યારે સ્વરૂપની અનુભવ –દષ્ટિ થાય છે. જિજ્ઞાસાઃ એની પહેલાં સમ્યગ્દર્શન નામ પણ નથી પામતા ? સમાધાનઃ નહીં. નામ પણ પામતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy