________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૯
[પ્રવચનઃ તા. ૩૧-૭-૭૯ ]
‘સમયસાર’ ૩૨૦-ગાથા. જયસેનાચાર્યની ટીકા છે. આ ટીકા અમૃતચંદ્રાચાર્યની નથી. 6 સમયસાર ' ની બે ટીકા છે– (એક) અમૃતચંદ્રાચાર્યની અને બીજી જયસેનાચાર્યની. (અહીં સુધી) આવ્યા છીએઃ “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે”. શું કહે છે? (કેઃ) ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય અતીન્દ્રિય અમૃતનો સાગર છે. એ આત્માશુદ્ધ વસ્તુ-પદાર્થ શુદ્ધ પૂર્ણાનંદ આત્મા છે. પુણ્ય-પાપના ભાવ એ તો આસ્રવતત્ત્વ-બંધતત્ત્વનાં કારણ અર્થાત્ બંધરૂપ છે. એ તો (આત્માથી ) ભિન્ન ચીજ છે. જેને આત્મા કહીએ એ આત્મા તો પવિત્ર, શુદ્ધ ચિદાનંદ–સચ્ચિદાનંદઘન છે. તો એવી ચીજમાં આ પ્રકૃતિનો બંધ ક્યાંથી આવ્યો? કહે છેઃ જે ભગવાન આત્મા મુક્તસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે; જેમાં પરિપૂર્ણ શુદ્ધતા ભરી છે; જે ગુણથી ભરેલો પડયો છે; એને પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે. આહા.. હા.. હા!
( અજ્ઞાનીને ) સ્વરૂપનું જ્ઞાન નથી. શુદ્ધસ્વરૂપનું જ્ઞાન નથી. ‘હું કોણ છું' એની ખબર નથી. ( એને ) એ દયા-દાન-વ્રતનાં પરિણામ મારાં છે, (એનાથી) મને લાભ થાય-એ બધા (એની માન્યતાવાળા ) અનાત્માને આત્મા માને છે. અનાદિથી અજ્ઞાનથી એ ચીજ ( આત્મા ) ની ખબર નથી.
આત્મા શુદ્ધ એવી ચીજ છે! છતાં, એને પ્રકૃતિનો બંધ કેમ થાય છે? તો ( કહે છે કેઃ ) એ અજ્ઞાનનું માહાત્મ્ય છે.
‘અનાદિથી હું પવિત્ર આત્મા આનંદમૂર્તિ પ્રભુ છું'. હું પરની ક્રિયા-જડની ક્રિયા તો કરતો નથી; પણ દયા-દાન-વ્રત-ભક્તિનાં પરિણામ ‘મારા’ માં નથી. અને ‘હું' એનો કર્તા-ભોકતા પણ નથી. -એવો પ્રભુ શુદ્ધ આત્મા જે સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય (છે ) એને આ પ્રકૃતિનો બંધ કેમ ? એમ કહે છે. આહા.. હા! (ભગવાન આત્મા) મુક્તસ્વરૂપ છે અબંધસ્વરૂપ છે-એને પર્યાયમાં આ રાગ અને કર્મના નિમિત્તનો સંબંધ-બંધ કેમ ? કેઃ અજ્ઞાનનું માહાત્મ્ય છે. પ્રભુ!” અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા ”. પોતાની ચીજ અંદર શુદ્ધ ચૈતન્યધન-આનંદકંદ-એ ચીજ તો છે બંધરક્તિ-શુદ્ધ. પણ એના જ્ઞાન વિના, (અર્થાત્ ) અજ્ઞાનના કારણે, તેને રાગનો અને પ્રકૃતિનો સંબંધ થાય છે. આહા... હા! ભારે ઝીણી વાત, ભાઈ !
66
–“ એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું”. એ આવી ગયું છે. એ તો એનો ઉપસંહાર છે. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું ”.
ભગવાન આત્મા એ અશુભ ભાવનો તો ભોકતા નથી. વિષય-વાસના, ક્રોધ, માન, માયા, લોભ, જગતની અનેક પ્રકારની ઈચ્છાઓ, એનો તો એ (આત્મા) ભોકતા નથી;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com