________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮: પ્રવચન નવનીત ભાગ-૧ કથન પણ ઉપચારથી છે. બે ભાગ (–ભેદો પડી ગયા... ને? બાકી “કર્મ” જે નિર્વિકારી પર્યાય ધર્મની થાય છે, તે પોતાથી થાય છે; તેને કોઈની અપેક્ષા જ નથી. પરની અપેક્ષા તો નથી પણ ખરેખર-નિશ્ચયથી તો તે “સ” છે. “સમ્યગ્દર્શન' સત છે. ( જો કે ) એ સમ્યગ્દર્શન' દ્રવ્યના લક્ષે થાય છે છતાં, એને દ્રવ્ય અને ગુણની (પણ) અપેક્ષા નથી. આહા... હા !
આવી વાત ( લોકોને માનવામાં) મુશ્કેલી પડે! અરે.... રે! કયારે સમજે? બાપુ! (આ) મનુષ્ય ભવ અનંતકાળે મળ્યો છે, એમાં ‘આ’ નહિ સમજે તો આખું મનુષ્યપણું વ્યર્થ થઈ જશે! અને ક્યાં જન્મશે? ચોર્યાશી લાખ યોનિમાં ક્યાંય ઠેકાણું નથી !
અહીંયાં કહે છે: “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” અન્યનિરપેક્ષ (એટલે) કોઈ અપેક્ષા જ નથી. આહા... હા! શાસ્ત્રમાં અપેક્ષાનું જ્ઞાન તો ઘણું આવે છે ને ? તો કહ્યું (કે.) “ નિમિત્ત છે' એનું જ્ઞાન કરાવવા માટે એ (કથન) છે. મોક્ષમાર્ગ પ્રકાશક ' સાતમાં અધ્યાયમાં છે કે વ્યવહાર કહ્યો છે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવા (માટે છે ). વ્યવહાર કહે છે એવું નથી. નિમિત્ત કહે છે – વ્યવહાર કહે છે એવું નથી. પણ વ્યવહાર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યો છે. (જોડે ) બીજી ચીજ છે એનું જ્ઞાન (થાય). પણ બીજી ચીજથી બીજી ચીજમાં કાંઈ (કાર્ય) થયું – એવી કોઈ અપેક્ષા, વસ્તુના સ્વરૂપમાં નથી.
પરમાત્મા પોતાનું સ્વરૂપ.... અહો.. હો ! પૂર્ણાનંદનો નાથ, પૂર્ણસ્વરૂપ છે! એમાં એક એક ગુણમાં પ્રભુતાની શક્તિ પ્રભુતાથી ભરી પડી છે! એવા અનંતા ગુણો, ઈશ્વર શક્તિથી - પ્રભુત્વશક્તિથી - પોતાના પ્રતાપથી સ્વતંત્રપણે પરિણમે, એવી પ્રભુત્વ નામની શક્તિ નથી પરિણમે છે ). અનંતગુણમાં પ્રભુત્વ નામની શક્તિનું રૂપ છે.
આહા. હા! અનંત ગુણ જેટલા છે એની જે પર્યાયો (ઉત્પન્ન થાય છે) એમાં (બીજા) ગુણની અપેક્ષા નથી. આ પર્યાય સમ્યકત્વની થઈ, તો સમ્યજ્ઞાનની પર્યાય (થાય) એવી પણ અપેક્ષા નથી. (એક) પર્યાયને બીજી પર્યાયની અપેક્ષા નથી. કારણ કે ( પ્રત્યેક પર્યાય) “સત” છે. “સત છે” એનો “હેતુ' હોતો નથી. “સમયસાર' બંધ અધિકારમાં લીધું છે: “દ્રવ્ય' અહેતુક, ગુણ” અહેતુક, “પર્યાય” અહેતુક. એમ અહીંયાં
આહા.. હા! આ સમજવું... પ્રભુ! એ કાંઈ (સાધારણ ) વાત નથી કે આ કાંઈ વાંચી લીધું ને... આમ કહે છે ને તેમ કહે છે, એમ જ્ઞાન કરી લીધું, માટે તે સમજી ગયો એવી ચીજ નથી પ્રભુ!
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે ” (તો કહે છે કે, પોતાની પર્યાયમાં, ત્રણ લોકના નાથની પણ અપેક્ષા બિલકુલ નથી. પોતાના સમ્યગ્દર્શનમાં, ભગવાન ત્રણ લોકના નાથ સર્વજ્ઞા
Please inform us of any errors on
[email protected]