________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) અન્ય દ્રવ્યથી નિરપક્ષ પણે, પરની અપેક્ષા વિના, દરેક દ્રવ્યની પર્યાય પોતાના દ્રવ્યથી થઈ છે. “સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી, જીવને અજીવને કર્તાપણું (કર્તુત્વ) સિદ્ધ થતું નથી.” ( અર્થાત્ ) “જીવ અજીવનું કાર્ય કરે ' એમ સિદ્ધ થતું નથી.
જીવ પોતાની પર્યાયને કરે અને પરની (પર્યાયને) પણ કરે તો “બે કિયાવાદી ' મિથ્યાષ્ટિ થાય છે. સમયસાર” માં આવે છે. પોતાની પર્યાય પણ કરે અને પરની પણ કરે, તો એક દ્રવ્ય બે ક્રિયાને કરે (–એવું માનનાર) મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે; એને જૈનની ખબર નથી.
વિશેષ કહેશે..
*
*
*
[ પ્રવચનઃ તા. ૨૮-૭-૭૯]
પહેલાંનો થોડો ભાગ બાકી છે. પછી થોડી એ એક લીટી ફરીથી લઈ લઈએ. ઘણી ઝીણી વાત (છે). અપૂર્વ છે! ક્રમબદ્ધ' જે કહ્યું કે દરેક દ્રવ્યની પર્યાય, જે સમયે જ્યારે થવાવાળી છે, તે થશે. અને પછીના સમયે (જે) થવાની હશે, તે જ થશે. એમાં કોઈ દ્રવ્ય પોતાની પર્યાયમાં પણ ફેરફાર કરી શકતો નથી. જ્યારે પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયને પણ ફેરફાર-આગળ પાછળ કરી શકતો નથી તો (પછી) પરદ્રવ્યથી એમાં પર્યાય થાય, એમ તો છે જ નહીં. એ અહીં આપણે કાલે ચાલ્યું હતું.
કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) પ્રત્યેક પદાર્થ વર્તમાન સમયમાં પોતાનો કર્તા (છે). અર્થાત સ્વતંત્ર કર્તા થઈને વર્તમાન પર્યાય જે છે, તે એનું કર્મ અર્થાત્ કાર્ય છે. એ કર્તા-કર્મની પ્રવૃત્તિ, અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે છે. પરદ્રવ્ય નિમિત્ત છે તો ત્યાં (ઉપાદાનમાં) એ (કાર્ય) થાય છે, એમ નથી. કથન (ભલે) આવે.
બપોરે કથન આવ્યું હતું ને કે “કર્મના ક્ષયથી ક્ષાયિક થયું'. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી ક્ષાયિક-કેવળજ્ઞાન પર્યાય જ્યારે થાય છે તો (તેને) પર-નિમિત્તની તો અપેક્ષા નથી, પણ પૂર્વપર્યાની અપેક્ષા નથી. આહા.... હા! આવી ચીજ છે !! બહુ ઝીણી.. બાપુ!
પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વકાળે - જન્મક્ષણે-ઉત્પત્તિકાળે - પોતાના સમયે પર્યાય ઉત્પન્ન થાય છે. એ આગળ-પાછળ પણ થતી નથી. અને પરથી તો (તે) થતી જ નથી. પરની અપેક્ષા જ નથી. જે પર્યાય પોતાના સમયે થવાવાળી છે, તે “સત્' છે. ભલે તે (પર્યાય) વિકારી હોય કે અવિકારી. અહીંયાં તો અવિકારીની વાત કરી છે. સમજાય છે કાંઈ ?
પટકારકના પરિણમનમાં વિકૃતિ (જે) છે, એનાથી રહિત થવું, તે પોતાના સ્વભાવનો ગુણ છે, (અર્થાત્ ) પકારકરૂપે જે વિકૃત અવસ્થા પર્યાયમાં થાય છે, તેનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com