SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪: પ્રવચન નવનીત ભાગ-૧ નહીં જુઓ! “પંચાસ્તિકાય' ગાથા-૬૨, સંસ્કૃત ટીકાઃ [“સ્વયમેવ પIRછીયેળવ્યવતિષમાનો ન વIRછiતરમપેક્ષતે”.) પર કારકની અપેક્ષા જ નથી. (કોઈ પણ કાર્યમાં,) પરકારકની કાંઈ અપેક્ષા છે જ નહીં. (જ્યારે) વિકાર થવામાં પણ કર્મની અપેક્ષા નથી, તો પ્રભુ! ધર્મની પર્યાય થવામાં પરની કાંઈ અપેક્ષા જ નથી ! આહા.... હા... હા! આવી વાત છે!! (લોકોને) વાત આકરી લાગે છે. (પણ) માર્ગ તો “આ” છે! આ તો (અહીં) દાંડી પીટીને કહેવામાં આવે છે. ક્રમબદ્ધ” ની પુષ્ટિમાં આ વાત લીધી છે. અંદર (શાસ્ત્ર) માં લખ્યું છે કે નહીં? જુઓ: પહેલાં શરૂ કર્યું છે કે પ્રત્યેક જીવ અને અજીવ પોતાના સમયે ઉત્પન્ન થવાવાળી પર્યાયના ઉત્પાદક છે; પર (–બીજો) નહીં. અને તે પણ તે જ સમયે (થાય), આઘીપાછી નહીં. કોઈ દ્રવ્યની, કોઈ પર્યાયને, (કોઈ) આઘીપાછી કરી શકે-એમ (બની શકે જ નહીં). આહા.... હા.... હા ! ( એક દ્રવ્યની પર્યાયને) અન્ય દ્રવ્યની અપેક્ષા તો નથી; પણ સ્વદ્રવ્ય પણ પોતાની પર્યાયને આઘીપાછી કરે શકે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ “કમબદ્ધ' નો નિર્ણય કરવામાં “આ સરવાળો” આવ્યો છે ! (જેમ) પાંચપંચા પચ્ચીસ; કે સરવાળો શું આવ્યો કે પચ્ચીસ આવ્યો. એમ આ “ક્રમબદ્ધ ” નો સરવાળો શું ? કે એનો સરવાળો ‘આ’. નિગોદના જીવમાં હીણી દશા, એ કર્મથી થઈ નથી. એમ કહે છે કે, જ્યાં સુધી એકેન્દ્રિયનિગોદ છે ત્યાં સુધી કર્મનું જોર છે. અને મનુષ્યાદિ થાય પછી આત્માનું જોર ચાલે છે. (પણ) અહીં તો કહે છે કે દરેક સમયમાં પોતાની પર્યાયના “કર્તા” તે તે આત્મા છે. નિગોદ-લસણ, ડુંગળી, લીલફૂગ (વગેરે) –માં અનંત જીવ છે. અને અનંત જીવમાંના દરેક જીવને બે બે શરીર-તૈજસ-કાશ્મણ-સાથે છે. આંગળીના અસંખ્યાતમાં ભાગમાં અનંત જીવ છે, અનંત શરીર પણ છે. એક પરમાણુની પર્યાય, બીજા પરમાણુની પર્યાયને (ભલે ) નિમિત્ત હોય; પણ એ નિમિત્તની ...અપેક્ષાથી પરમાણુમાં પર્યાય થઈ, એમ નથી અને કર્મના ઉદયથી, અનંત નિગોદનીય પર્યાય થઈ. એમ પણ નથી. નિગોદની પર્યાય જે થઈ, તે જ સમયે (તે) થવાવાળી હતી; તે પરની અપેક્ષા વિના પોતાનાથી (થઈ છે!) (અર્થાત્ ) પરના કર્તા-કર્મની અપેક્ષા વિના, એ પર્યાયનો “કર્તા ' એ જીવ છે અને એ પર્યાય એનું કાર્ય છે ! આહા... હા! ભારે વાત ભાઈ ! “મોક્ષમાર્ગ પ્રકાશક' માં એવું આવ્યું છે કેઃ નદીમાં ચાલતાં, પાણીનું જોર ઘણું હોય તો (શરીર) પાછું ચાલે છે, ત્યાં આત્મા રોકી નથી શકતો. નદીનું દષ્ટાંત છે; એ તો નિમિત્તના કથનથી કહ્યું છે. બાકી (તો) એ સમયે પણ પાણીના પ્રવાહમાં જે શરીર પાછું ચાલે છે, તે પોતાની પર્યાયથી, પોતાના કર્તા-કર્મથી એમ ચાલે છે; પાણીના કારણે નહીં. આહ.. હા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy