________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૮૯
સમાધાનઃ અસર એનાથી ( − મોક્ષમાર્ગ પ્રકાશક' થી ) નહીં ! (પણ ) અમારી પર્યાયની
યોગ્યતા એવી હતી.
અમને સવંત ૧૯૭૮માં, ફાગણ માસમાં પહેલું સમયસાર મળ્યું. પછી પ્રવચનસાર ’, ‘નિયમસાર ' (મળ્યાં ). સવારમાં એક વખત વ્યાખ્યાન આપીને, અમે અપાસરામાં એ જ વાંચતા હતા. એક મહિનામાં બે આઠમ ને એક પૂનમ ને એક અમાસ, (એમ) ચાર ઉપવાસ રાખતા. તે દિવસે તો સવા૨માં વ્યાખ્યાન આપીને, એક માઈલ છેટે જંગલમાં ચાલ્યા જતા હતા. ત્યાં બહુ મોટો ખાડો હતો. અમે તેમાં અંદર એકલા સાંજ સુધી રહેતા. (ત્યાં) ‘સમયસાર ’ પહેલાં વાંચ્યું તો એવો ભાવ અંદર આવ્યોઃ અહો... હો... હો! શરીર રહિત થવાની ચીજ તો આ ‘સમયસાર' છે!! મેં સંપ્રદાયમાં કહ્યું કેઃ શ્વેતાંબરનાં બધાં શાસ્ત્ર ભલે હો... પણ શરીર રહિત થવાની ચીજ તો ‘આ’ છે! આહા... હા! [ એવો ભવ અંદર આવ્યો કે ‘આ' શરી૨ રહિત થવાની ચીજ છે ત્યાં ‘એ ચીજ' તો નિમિત્ત છે.)
6
"
,
( અહીંયાં ) આ એક શબ્દ તો ગજબ છે!! “ કર્તા-કર્મ નિરપેક્ષ ”–એ મહાસિદ્ધાંત છે!! કોઈ પણ દ્રવ્ય-પદાર્થની પર્યાય જે સમયે થવાવાળી થશે; એ કાર્યનો ‘કર્તા' એ દ્રવ્ય છે. (અર્થાત્ ) એ પર્યાયનો ‘ કર્તા ’ (એ) દ્રવ્ય છે અને એ પર્યાય (એનું ) ‘ કર્મ ’ છે. એ પર્યાયમાં પદ્રવ્યની કોઈ અપેક્ષા જ નથી.
નિમિત્ત (ભલે ) હો. પ્રત્યેક પદાર્થના કાયૅકાળે (બીજો પદાર્થ) નિમિત્ત (રૂપે) તો હોય જ છે. અનાદિ-અનંત જે દ્રવ્યની પર્યાય થાય છે, તે પોતાનાથી થાય છે. (છતાં) તે વખતે નિમિત્ત તો હોય છે; પણ નિમિત્તની અપેક્ષાથી તે પર્યાય થઈ, એમ નથી.
જિજ્ઞાસાઃ ધર્મદ્રવ્યની જેમ (નિમિત્તને) સમજવું ?
સમાધાન: ‘ઇષ્ટોપદેશ' કારે (નિમિત્તને) ધર્મદ્રવ્યવત્ કહ્યું છે ને...! જેમ ગતિ કરવામાં પોતે સ્વતંત્ર (છે) તો ધર્માસ્તિકાયને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે. ત્યાં તો ‘નિમિત્ત’ કેવાં છે કે ‘ધર્માસ્તિકાયવત્’ બધાં દ્રવ્ય (નિમિત્ત ) છે, એમ કહ્યું છે.
અહીં પણ એ કહે છે કે: નિમિત્તની અપેક્ષા જ નથી. નિમિત્ત હોય... પણ પર્યાયનું કાર્ય કરવામાં નિમિત્તની અપેક્ષા છે જ નહીં. જડનું કાર્ય અને ચૈતન્યનું કાર્ય અને જે સમયે છે, એ કર્તા અને એનું કાર્ય, એ સ્વદ્રવ્યમાં છે. અર્થાત્ સ્વદ્રવ્ય ‘કર્તા ' અને સ્વદ્રવ્યની પર્યાય ‘કાર્ય ’, એમાં ૫દ્રવ્યની-નિમિત્તની અપેક્ષા છે જ નહીં. આહા...
હા!
આ કાંડામાં ઘડિયાલ રહી છે, એ કાંડાના આધારે રહી છે, એમ નથી. આહા... હા ! આ તો દુનિયાથી (જુદી વાત છે!) વૃદ્ધ હોય તે લાકડીનો ટેકો લે છે... ( તો ) એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com