SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૮૧ શબ્દો તેમને જ્ઞય બનાવી–સમજાવી શકતા નથી માટે “આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યય [ –વ્યાખ્યા કરવા લાયક ] (–સમજાવવા યોગ્ય) છે. વાણીની ગૂંથણી તો વ્યાખ્યા (–સમજૂતી) છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા (-વ્યાખ્યા કરનાર, સમજાવનાર) છે', એમ મોહથી (હું ) જનો ન નાચો. (ન ફુલાઓ)”. - પ્રવચનસાર શ્લોકઃ ૨૧માં છે. તો એમાંથી પછી એમ અર્થ લે કેઃ એ તો નિર્માનતાથી એવી વાત કરે છે. તો પણ એનો (ટીકાનો) કર્તા “નિમિત્ત” છે જ નહીં. પ્રવચનસાર' માં કલશ થોડા છે–બાવીસ જ છે. “સમયસાર' માં ૨૭૮ છે. નિયમસાર” માં ઘણા છે (-૩૧૧ છે). અહીં કહે છે કે: અમૃતચંદ્રસૂરિ વ્યાખ્યાતા સમજાવતાર છે, એમ મોહથી (હે) જનો ન નાચો ! આહા... હા! સમજાવનારને એમ થઈ જાય કે “હું સમજાવું છું” તો તે સમજે છે! (શ્રોતા ) મહારાજ! આપ સમજાવો છો, તો અમે સમજીએ છીએ. (ઉત્તર) એ એવી વાત છે જ નહીં. એમ કહે છે. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ ! જિજ્ઞાસા સમજાવવાનો ભાવ કરે? સમાધાન: એ પણ વિકલ્પ (છે). (એની) પણ “કર્તા' આત્મા નથી. (ક્યાં) ભગવાન જ્ઞાનસ્વરૂપ! ને ક્યાં એ વિકલ્પ-રાગ-વિકાર... દુઃખ... આકુળતા! (તો શું ) આનંદનો નાથ આકુળતાને ઉત્પન્ન કરે ? અ... હા. હા... હા! જે સમજાવવાનો વિકલ્પ છે, તે પણ આકુળતા છે, દુઃખ છે. “સમાધિશતક'માં તો ત્યાં સુધી લીધું છે: “પરને સમજાવું છું' એ પણ એક ઉન્મત્તતા છે, ઘેલછા છે, પાગલપણું છે! કેમ કે તારાથી એમને એ સમજમાં આવતું નથી. એને તો એનાથી પાગલપણું છે ! કેમ કે તારાથી એમને એ સમજમાં આવતું નથી. એને તો એનાથી સમજમાં આવે છે, વાત આકરી બહુ! ભાઈ ! આખી દુનિયાથી ફેર (જુદી) છે. અત્યારના તો (કેટલાય) પંડિતો ય (કહે) કે અમે એમ (પરનું) કરીએ! એક વાર તો એવું સાંભળ્યું હતું કે, અહીંના વિરોધમાં પચાસ પંડિતો ઇન્દોરમાં એકઠા થયા હતા. તેમણે એવો નિર્ણય કર્યો કે “પદ્રવ્યનું કરે નહીં' (એમ માને) (તો) તે દિગંબર નથી'. અહીંથી પદ્રવ્યનું (કરવાની) ના પાડે છે ને...? (વિરોધ) કરો... પ્રભુ! તમે પણ અંદરમાં પ્રભુ છો. ભૂલ (તો) પર્યાયમાં થાય છે. “જામે છે જિતની બુદ્ધિ હૈ ઉતનો દિયો બતાય; વાકો બૂરો ના માનીએ ઔર કહાંસે લાય?' આહા... હા ! ઝીણી વાત છે, ભાઈ ! અહીં અમૃતચંદ્ર કહે છે: “ટીકા અમે સાંભળી અને એનાથી અમને જ્ઞાન થાય' –એમ ન નાચો, એમ ફુલાઓ નહીં. “ન ફુલાઓ!” “પરંતુ સ્યાદ્વાદ વિધાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરો, તે આજે જ કરો. [ આજે (જનો) અવ્યાકુળપણે નાચો.) (-પરમાનંદ પરિણામે-અતીન્દ્રિય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy