________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮O: પ્રવચન નવનીત ભાગ-૧ દુનિયા સંયોગથી જુએ છે. પણ એ ક્યાં છે ત્યાં એના સ્વભાવથી છે, એમ જોતા નથી! આ આંખથી દેખાય છે કે આ જુઓઃ આ (લાકડી ઊંચી) આંગળીથી (થઈ ) છે કે નહીં? પણ આંગળી તો સંયોગ-પર છે.
એમ, સાંભળવાથી જ્ઞાન થયું; એ પણ પર છે. સાંભળવું પરચીજ છે; (તો) એનાથી તને જ્ઞાન થાય?! એ તો ભાઈ ! અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે “આ ટીકા મેં કરી છે” એમ મોહથી ન નાચો, પ્રભુ ! “હું તો જ્ઞાનસ્વરૂપમાં મગ્ન છું. મારા વિકલ્પમાં પણ હું” નથી આવ્યો; તો ટીકાની ક્રિયામાં “હું” ક્યાંથી આવું? “સમયસાર”, “પ્રવચનસાર', નિયમસાર”, “પંચાસ્તિકાય” -દરેકમાં પાછળ શ્લોક છે. આહા...હા ! આવી (અલૌકિક ) ટીકા !! પણ કહે છે કેઃ એ કાર્ય તો શબ્દની પર્યાયથી થયું છે. એ શબ્દ-પરમાણુમાં કર્તાકર્મ શક્તિ છે. એનાથી એ પર્યાયનું કાર્ય થયું છે; મારાથી નહીં. “હું ટીકાનો કરવાવાળો' એમ તમે મોહથી ન નાચો ! અને મારી ટીકા સાંભળવાથી તમને જ્ઞાન થાય છે, એમ ન નાચો! આહા.... હા! મારી ટીકા સાંભળવાથી કે હું કહું છું તો સાંભળવાથી તમને જ્ઞાન થાય છે, એમ ન નાચો !
પ્રવચનસાર' માં છેલ્લા શ્લોકમાં વિશેષ છે-“ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે. આત્મા તેમને (–શબ્દને ) પરિમાવી શકતોનથી. તેમ જ ખરેખર સર્વ પદાર્થો સ્વયં શેયપણે-પ્રમેયપણે પરિણમે છે. શબ્દો તેમને શેય બનાવી સમજાવી શકતા નથી.
એ શબ્દ આવ્યો તો તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, એમ ન નાચો. પ્રભુ! આહા... હા! શબ્દો જે પરિણમે છે, તે પુદ્ગલની પર્યાયથી પરિણમે છે; આત્માથી નહીં. (આત્મા) એમને પરિણમાવી શકતો નથી. તેમ જ પરપદાર્થ સ્વયં શેયપણે પરિણમે છે; તે જાણવું પોતાની પર્યાયમાં થાય છે, તે પોતાથી થાય છે. સાંભળવાથી (જ્ઞાન) થાય છે (–એમ નથી). કાને શબ્દ પડ્યો તો જ્ઞાન થયું –એમ ન નાચો, પ્રભુ! એવી પરાધીનતા નથી. આહા.... હા.... હા... હા ! આવી વાત છે !!
શાસ્ત્રને પગે લાગવું. તો કહે છે કે એ તો વિકલ્પ છે. શાસ્ત્રથી જ્ઞાન થાય છે, એમ ન નાચો ! જ્ઞાનની ખાણ તો તું છો ! તારામાંથી જ્ઞાન ‘કર્તા” થઈને, જ્ઞાનની પર્યાય “કર્મ” અર્થાત્ કાર્ય થાય છે. સાંભળવાથી (જ્ઞાન) થાય છે, એમ ન માનો!
જિજ્ઞાસા તો સાંભળવું કે નહીં... શું કરવું?
સમાધાન: એ તો ( વિકલ્પ) આવે. પણ આમ વાત બહુ આકરી ! ભાષા (-કથન) તો એમ આવે કે: આગમનો અભ્યાસ કરો... દેવ-ગુરુની શ્રદ્ધા કરો.... સાંભળો ગુરુની સેવાગુરુની ચરણ સેવના પછી સમ્યકત્વ થાય....! એમ પણ શાસ્ત્રમાં આવે છે. (ભાઈ !) એ બધાં કથન નિમિત્તનાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com