________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧ઃ ૧૭૭ આહા.... હા! ભગવાનની વાણી “કર્તા' અને આત્માની જ્ઞાન-પર્યાય “કાર્ય' , એમ નથી. ભગવાનની વાણી જે દિવ્યધ્વનિ છે, તે તો પરમાણુની પર્યાય પોતાથી ઉત્પન્ન થઈ છે; તે ભગવાનથી (થઈ ) નથી. (અર્થાત્ ) ભગવાનની દિવ્યધ્વનિ, ભગવાનથી પણ થઈ નથી. ભગવાનને તો નિમિત્ત કહેવામાં આવે છે.
લોકાલોકમાં કેવળજ્ઞાનને નિમિત્ત કહેવામાં આવે છે અને કેવળજ્ઞાનમાં લોકાલોકને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્ત કહેવામાં આવ્યું, તો નિમિત્તથી કંઈ થયું છે? –એવી ચીજ (વસ્તુસ્થિતિ) નથી. લોકાલોકને નિમિત્ત કેવળજ્ઞાન છે, તો (શું) કેવળજ્ઞાનથી લોકાલોક ઉત્પન્ન થયું છે? અને કેવળજ્ઞાનમાં નિમિત્તે લોકાલોક છે, ત્યાં (શું) લોકાલોકથી કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ છે? –એમ નથી. “સમયસાર' સર્વવિશુદ્ધ અધિકારમાં છે કે કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે અને લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે. પણ એનો અર્થ શું? (ક) એ બીજી ચીજ છે, એનું જ્ઞાન કરાવ્યું. પણ કાંઈ કેવળજ્ઞાન થયું છે, એ આત્મનું કાર્ય અને એનું લોકાલોક કારણ– “કર્તા' –એમ કદી છે? અને લોકાલોકને નિમિત્ત કેવળજ્ઞાન છે, તો કેવળજ્ઞાન છે, તો કેવળજ્ઞાન “કર્તા અને લોકાલોક “કાર્ય” –એમ છે? (એમ ક્યારેય નથી). આવી બહુ ઝીણી વાત છે!
અહીં કહે છે કે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે. (એટલે) કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહે છે એમ તો નથી. તો (પોતાનું) કાર્ય કરે છે, તો પરનું પણ કાર્ય કરે, એમાં શું? (જેમ) લોકમાં નથી કહેતા કે: ગોવાળ એક ગાયને ચરાવે, તો બીજી અમારી ગાયને પણ (ચરાવવા) લઈ જાય. એક ગાયને ચરાવે, તો પાંચ ગાયને (પણ) ચરાવે! તેમ (જીવ) પોતાનું કાર્ય કરે છે, તો પરનું કાર્ય પણ કરવું! જો કાર્ય વિના રહેતો હોય, તો પરનું ન કરવું! –એમ કહે છે.
જુઓ! શબ્દ કેવો લીધો છેઃ “જીવ પોતાનાં પરિણામોથી”. પરિણામ અર્થાત કાર્ય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ પરિણામ-એ “કાય” -કર્તા ગુણથી થાય છે. અથવા એ “કર્મ' , કર્મ ગુણથી થયું છે, પોતાનામાં “કર્મ ગુણ” છે. એ કારણથી “કર્મ' અર્થાત વીતરાગ-ધર્મની પર્યાય “કર્મગુણ ” થી થઈ છે.
એ “ (જીવ) પોતાનાં પરિણામોથી ઊપજે છે”. એ (જો) પોતાનું કાર્ય કર્યા વિના રહે, તો તમે એમ કહો કેઃ પરનું કાર્ય ન કરે! (પણ) કાર્ય તો કરે છે. આહા.... હા! ઝીણી વાત છે, ભાઈ ! અંદર વસ્તુ આત્મા, એ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા જ છે. (એ) પોતાના પરિણામોથી ઊપજે છે. પોતાનું કાર્ય તો કરે છે. કાર્ય કર્યા વિના રહેતો નથી. “છતાં” પરનું કાર્ય કરતો નથી. -એમ લીધું. “છતાં” લીધું ને? એમ હોવા છતાં પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com