________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૫
22
અહીં તો કહ્યું: ભગવાન આત્મા એક બાજુ “વ્યક્ત” વસ્તુ છે તો સામે આત્મા એક “ અવ્યક્ત સપ્તમ વસ્તુ છે, છ દ્રવ્ય જ્યારે ‘શેય' છે તો એનાથી ભિન્ન, ભગવાન આત્મા અવ્યક્ત- ‘ જ્ઞાયક' છે.
પ્રશ્ન:- ( આત્માને ) ‘ અવ્યક્ત ’ કેમ કહ્યો ?
સમાધાનઃ- (આત્મા) બહારમાં આવ્યો નહિ; પર્યાયમાં પણ આવ્યો નહિ; આહા... હા... હા! પર્યાયને પણ જાણવાવાળો છે. આહા... હા... હા! એકકોર જ્ઞાયકભાવ ભગવાન અને એકકોર છ દ્રવ્યમાં બધું આવી ગયું. ખરેખર તો જે સ્વજ્ઞાયભાવને ‘અવ્યક્ત' કહે છે તે જ્ઞાયકભાવ, જાણવામાં તો પર્યાયમાં આવે છે. છ દ્રવ્યસ્વરૂપ ‘શેય ' અને ‘હું જ્ઞાયક'. એ ( આત્મ ) દ્રવ્ય તો જ્ઞાયક છે, પણ તે જાણવામાં તો પોતાની પર્યાયમાં આવે છે. પર્યાયમાં ( એમ ) જાણવામાં આવે છે કે- ‘છ દ્રવ્યસ્વરૂપ શેય ' છે અને ‘હું જ્ઞાયક છું.' તથા છ વ્યસ્વરૂપ લોક વ્યક્ત છે, પ્રગટ છે, બાહ્ય છે. ‘હું' અત્યંતર, પૂર્ણ, અખંડ, આનંદઘન છું.’ આહા... હા ! ‘ અવ્યક્ત' નો એવો આ એક અર્થ છે. એવા છ અર્થ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ક્ષુલ્લક શ્રી ધર્મદાસે તો ‘સમ્યગ્ગાનદીપિકા’ માં એક લીધું છે કેઃ ભગવાન આત્મા છ દ્રવ્યસ્વરૂપ હોવા છતાં પણ– (જોકે) છ દ્રવ્યથી ભિન્ન તો કોઈ દ્રવ્ય નથી, છ દ્રવ્યમાં (તે) આવે છે તો પણ- પોતાનો આત્મા વ્યક્તથી ભિન્ન છે, પ્રગટથી અત્યંતર છે, શૈયથી જ્ઞાયક છે, આ કારણથી છ દ્રવ્યથી ભિન્ન કહીને આત્મા સક્ષમ (દ્રવ્ય ) થયો, સાતમી ચીજ થઈ; એમ કહેવામાં આવ્યું છે. આહા... હા... હા ! સમજાય છે કાંઈ ?
( જીવે ) આ સમજવાની દરકાર કરી નહિ. ક્રિયાકાંડ કરો... આ કરો... ને... આ... કરો ! (પણ) અહીંઆ તો ક્રિયાકાંડને ‘શેય’ અને ‘વ્યક્ત’ માં નાંખે છે.
આહા... હા ! શું કહીએ ? ( આ ) ભગવાનની વાણી... દિવ્યધ્વનિની વાણી છે. શ્રી સીમંધર ભગવાન. સર્વજ્ઞ ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ, મહાવિદેહમાં બિરાજે છે. જ્યાં (સ્વરૂપમાં ) એકાકાર-સર્વજ્ઞ થયા ત્યાં એકાક્ષરી' ધ્વનિ (નાદ) ઊઠે છે. તેમાં સાતસો* પ્રકારની ભાષા, એક કારમાં આવી જાય છે. આહાહા! છદ્મસ્થના જેવી વાણી ભગવાનને હોતી નથી. કેમકે એવા હોઠવાળી વાણી તો જ્યાં રાગ છે ત્યાં છે. ભગવાનને રાગ છે નહીં મુખ ૐકાર નિી સુની અર્થ ગણધર વિચારે.” એમની વાણી' કાર ધ્વનિ સાંભળીને ગણધર, એટલે સંતોના નાયક સંત-ગણધર, ચાર જ્ઞાન-ચૌદપૂર્વના ધારવાવાળા સંત છે, તે અર્થ એટલે એ વાણીમાં શું છે, એ વિચારે. “ રચિ આગમ ઉપદેશ
* છ દ્રવ્યમાં છે આ અપેક્ષાથી
* અઢાર મહાભાષા અને સાતમો લઘુભાષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com