________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૨૧
ઉત્પન્ન થાય છે. પણ એ કર્તામાં એનું લક્ષ સ્વદ્રવ્ય ઉપર જાય છે. એ કર્તા સ્વતંત્ર થઈને સ્વલક્ષ ઉપર જાય છે. શું કહ્યું? એમ કેઃ સ્વનું લક્ષ આવ્યું તો એટલી ‘ અપેક્ષા ’ પરાધીનતાની થઈ કે નહિ? –નહીં. એ સમ્યગ્દર્શનની પર્યાય ષટ્કારકથી ઊપજે છે. એમાં ૫૨ની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય-ગુણની (ય) નથી. સમજાણું ? જો દ્રવ્ય-ગુણની (અપેક્ષા ) નથી, તો કર્તાપણાની પર્યાય છે, તો કર્તા તો છે; પણ કર્તા કોનો ? કેઃ પોતાની પર્યાયનો. પણ એ પોતાની પર્યાયનો કર્તા છે, એ કર્તા સ્વતંત્રપણે સ્વના લક્ષમાં જાય છે. સમ્યગ્દર્શન અને જ્ઞાનની-ધર્મની પર્યાય, કર્તા થઈને સ્વતંત્ર થાય છે. પણ એ કર્તા થઈને સ્વ લક્ષ ઉપ૨ જાય છે. આહા... હા! એમ કે સ્વનો આશ્રય કરે તો પર્યાયની પરાધીનતા છે? -એમ નથી. કહેવામાં આવે છે: ( ‘ સમયસાર ’ ) ૧૧મી ગાથા-“ભૂયત્વમસ્તિો વજુ સમ્માકી હવદ્ નીવો”-ભૂતાર્થ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. સમજાય છે કાંઈ ? છતાં, અહીં કહે છે કેઃ એ પર્યાય સ્વતંત્ર થઈને આશ્રય કરે છે. આહા... હા... હા! એ પર્યાય પરાધીન-સ્વ (દ્રવ્ય) ઉ૫૨ લક્ષ ગયું માટે પરાધીન-થઈ, એમ નથી.
હવે આવી વાત !! બેસવી કઠણ છે જગતને. ત્રણ લોકના નાથ વીતરાગ પરમાત્માનો એ સીધો દિવ્યધ્વનિ છે. ‘ૐ' કાર ધ્વનિ' સુનિ અર્થ ગણધર વિચારે અને આગમ રચે અને આગમ સુણીને ભવિક જીવ સંશય નિવારે. -આ એ વાત છે!! આહા... હા! સમજાણું કાંઈ ?
**
(અહીં ) તો કહે છે કેઃ “ જીવ જ છે, અજીવ નહીં”-આ અનેકાંત છે. જીવનાં પરિણામ પોતાથી પણ થાય છે અને ૫૨થી પણ થાય છે-એવો શબ્દ આવે છે: ‘તત્ત્વાર્થરાજવાર્તિક' માં એવો પાઠ છે. અકલંકદેવ એમ કહે છે કહે છે કે-બે કા૨ણનું કાર્ય છેઃ ઉપાદાન અને નિમિત્ત. એ તો નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તથી થતું નથી; પણ નિમિત્ત છે, એનું જ્ઞાન કરાવ્યું છે. અહીં તો એક જ કારણ કહ્યું. ‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' માં એવું આવ્યું છે: “ પુષ્વ-પરિણામ-નુતં... વ્વ્વ ૩ત્તર-પરિણામજીરૂં”-પૂર્વ પર્યાયયુક્તદ્રવ્ય-ઉપાદાન કા૨ણ. અને ઉત્તર પર્યાયયુક્તદ્રવ્ય ઉપાદેય (−કાર્ય) છે. (અર્થાત ) પૂર્વ પર્યાય ઉપાદાન ‘કારણ' છે અને પછીની પર્યાય ‘કાર્ય’ (છે). -એ સદ્દભૂતવ્યવહારનયથી કથન છે; નિશ્ચયથી નહીં. નિશ્ચયથી તો એ (ઉત્તર) પર્યાય, પૂર્વની પર્યાયથી પણ ઉત્પન્ન થઈ નથી. (કારણ કે) પૂર્વની પર્યાયનો તો વ્યય થઈને (ઉત્તરપર્યાય) ઉત્પન્ન થાય છે. એ (ઉત્તર) પર્યાય ઉત્પન્ન થવામાં આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો છે. આહા... હા! કઠણ વાત છે.
‘નિયમસાર' માં પરમ આલોચના અધિકારમાં છેલ્લે “ ‘સતત સુલભં ” પાઠ છે કે: જ્ઞાનીને આત્મા (સહજ તત્ત્વ) ‘સતત સુલભ’ છે. અને પહેલા અધિકારમાં છે કેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com