________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૧૯ ભગવાનસ્વરૂપ આત્મા ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. એ ક્રમમાં એ પરિણામ ઊપજ્યાં એ જીવ જ છે. આહા.... હા.. હા! સ્વના આશ્રયે જીવના જે ક્રમબદ્ધમાં જે પરિણામ ઊપજ્યાં તે જીવ છે; તે અજીવ નથી; અજીવથી ઊપજ્યાં નથી. પરિણામની ઉત્પત્તિમાં પરની અપેક્ષા નથી. આહા... હાં.. હા ! આવી વાત છે: ( પરિણામ) જીવ જ છે! સંસ્કૃતમાં છે. “નવ ઇવ”. પરિણામને “નવ ઇવ” કહ્યાં. આહા... હા... હા! શું કહ્યું? કે: પોતાનો આત્મા-ભગવાન આત્મા ક્રમબદ્ધ-સમયે સમયે જે પરિણામ ઊપજે છે-જ્યારે એવો નિર્ણય, પોતાના દ્રવ્યજ્ઞાયક ઉપરથી થયો, તો જે પરિણામ ઊપજ્યાં, એ અનંત પરિણામ વ્યક્ત થયાં, એ પરિણામ જીવ જ છે. નહીં તો (એમ તો) તે છે એ પર્યાય. પાછું “જીવ જ છે ” –એમ કહ્યું “નવ ઇવ” એ પરિણામને અમે જીવ કહીએ છીએ. પણ એ પરિણામ ક્યાં? કે: દ્રવ્યની સન્મુખ થઈને નિર્મળ પરિણામ થાય છે તે પરિણામને અહીં “જીવ” કહ્યાં છે. સમજાણું કાંઈ ? રાગાદિ થાય છે, પણ એ રાગનું જ્ઞાન કરે છે.
આહા... હા... હા! આવી ઝીણી વાત !! હવે, પકડાય નહીં; પછી માણસને, એકાંત છે.... એકાંત છે સોનગઢનું એમ પોકાર કરે છે. કરો. ભાઈ ! ભગવંત તારી ચીજ તો એવી છે!
આહા... હા! “જીવ જ છે.” પોતાનાં પરિણામ ઊપજ્યાં-જીવદ્રવ્યના આશ્રમે ક્રમબદ્ધ પરિણામ જે ઊપજ્યાં તે જીવ જ છે. દ્રવ્યનાં પરિણામ દ્રવ્ય જ છે અને અજીવ નથી-નાસ્તિ કર્યું-આ “અનેકાંત' ? અનેકાંત એ નથી કે પોતાનાં પરિણામ પોતાથી પણ છે અને પરથી પણ છે. -એ અનેકાંત નહીં, (પણ) એતો એકાંત મિથ્યાત્વ છે. સમજાણું? પોતાનાં પરિણામ પોતાથી પણ છે અને પરથી પણ છે, એ અનેકાંત છે, એમ લોકો કહે છે; (પણ) એમ નથી. એ પોતાનાં પરિણામ પોતાથી જ છે; અજીવથી નથી; એ કર્મથી થયાં નથી. કર્મનો ક્ષયોપશમ થયો તો આ જીવનાં પરિણામ જીવના આશ્રયે થયાં, એમ (પણ) નથી. (અર્થાત્ ) કર્મનો ક્ષયોપશમ થયો તો આ પરિણામ થયાં, એવી વાત જ નથી. પોતાનાં પરિણામમાં કર્મના ક્ષયોપશમની અપેક્ષા નથી. આહા... હા.. હા ! આવો માર્ગ !! હવે સાંભળવો ય કઠણ પડે.
આહા હા હા ! આ તો વીતરાગ ત્રિલોકનાથ (ની વાત છે)! અને તે પણ દિગંબર, ધર્મમાં આવી વાત છે. હોં! શ્વેતાંબરમાં આવી વાત નથી. સ્થાનકવાસી-શ્વેતાંબરમાં ક્યાંય (આ વાત નથી). “મોક્ષમાર્ગ પ્રકાશક' માં તો શ્વેતાંબર અને સ્થાનકવાસીને અન્ય મતમાં નાખ્યા છે. અન્ય મતમાં નાખ્યા છે-એ (વાત કોઈ ) પક્ષથી નથી. પ્રભુ! વસ્તુનું સ્વરૂપ છે. આ ચીજ તો...!!
આહા.... હા... હા... હા! ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે! (એની) પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com