________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૧૭
ગજસુકુમાર એ વાત સાંભળે છે. કન્યાને અન્તઃપુરમાં લઈ ગયા. અને એ ગયા હવે ભગવાન પાસે. જ્યાં ભગવાન પાસે સાંભળ્યું; ત્યાં એ વખતે ગજસુકુમાર કહે છેઃ ‘પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું તો મુનિપણું લેવા ઈચ્છું છું'. [ આહા... હા! ખબર છે કે હજી એના ભાઈ ત્યાં (લગ્ન માટે) કન્યા ગોઠવે છે.) ‘પ્રભુ! આપની આજ્ઞા ’... તો ભગવાન તો આજ્ઞા ક્યાં ( કરે છે)? એ તો ' બોલે છે. એને તો (અક્ષરી) વાણી છે નહિ. પણ એને (ગજસુકુમા૨ને ) વિનય કરવાનો ભાવ છે, તેથી એમ બોલે ને...! કેઃ ‘પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું તો મુનિ બનવા ઈચ્છું છું'. આહા... હા! એ ઘરે ગયા એની માતા પાસે. ત્યાં લગ્નની તૈયારી ( ચાલે ). ( માતાને ) કહ્યું: ‘માતા! હું મારું સ્વરૂપ-સાધન કરવાને, સાધકપણે સાધુ થવા (ઈચ્છું છું). માતા! રજા દે... રજા દે, મા!' આહા... હા! માતા રોવા લાગી. તો કહે છે કેઃ ‘માતા! જનેતા! તારે રોવું હોય તો રોઈ લે; હવે પછી બીજી માતા નહીં કરું! હવે હું તો મોક્ષે જઈશ... રજા દે, મા! હું આ ભવે મોક્ષ જઈશ !' છદ્મસ્થ ને ભગવાનને પૂછ્યા વિના, આટલો નિર્ણય થઈ ગયો ? –અરે ! ભગવાનઆત્મામાં એટલી તાકાત છે!! ત્યાં (સમવસરણમાં) જઈને દીક્ષિત થયા! તો (મેં એમ ) કહ્યું કેઃ તમે આવું કહો છો ?! ‘ભગવાને દીઠું હશે તેમ થશે' એમ ત્યાં ( ગજસુકુમા૨ે ) કહ્યું હશે ? આ એક ક્ષણમાં મુનિ થઈ ગયા!! અને મુનિ થયા પછી પણ ભગવાન પાસે આજ્ઞા લીધી પ્રભુ! હું તો બારમી પિંડમા લઈને દ્વારકાના સ્મશાનમાં ધ્યાનમાં બેસું છું. સાધુની બારમી ઘણી જવાબદારીવાળી છે. કહ્યું: આટલો પુરુષાર્થ !! (ગજસુકુમાર ) ( સ્મશાનમાં ) ધ્યાનમાં રહ્યા. ત્યાં એ સમયે તે કન્યાનો પિતા સોમલ આવ્યો... અરેરે! રાજા એ (મારી ) કન્યાને અન્તઃપુરમાં (આ રાજકુમાર માટે લઈ ગયા) ને... આ રાજકુમારે આ દીક્ષા (લીધી!) તો મારી કન્યાને લેશે (વ૨શે ) કોણ ? તો એને ઝેર (-તીવ્ર દ્વેષ ) થઈ ગયું. મસાણમાં જે બળેલી રાખ હતી તેમાં પાણી નાખીને માથા ઉપ૨ (પાઘડીની જેમ) બાંધી; અને એમાં નાખ્યો અગ્નિ. (એ તો ) અંદર ઊતરી ગયાઆહા... હા ! કેવળજ્ઞાન પામીને દેહ છૂટી ગયો. કહ્યું કે: ભગવાનની આ વાણી કેવી છે કે એમણે મુનિપણું લઈ લધું! કોમળ એવું શરી૨ ( ને ) અગ્નિ (લાગ્યો )... અંદરમાં ઊતરીને કેવળજ્ઞાન થઈ ગયું...! દેહ છૂટી ગયો... સંસારથી ચાલ્યા ગયા!! આ વસ્તુ ભગવાનની વાણીમાં કેવી આવી કે: પુરુષાર્થ કરીને... મુનિપણું લઈ ને... (સિદ્ધાલયમાં ) ચાલ્યા ગયા!! કહ્યું કે ‘ભગવાને દીઠું હશે તેમ થશે... દીઠું હશે તેમ થશે' એમ કહીને ત્યાં
બેસી રહેશે ?
આહા... હા ! ‘ ભગવાને દીઠું તેમ થશે' તો ‘મેં પણ દીઠું તેમ થશે' ( એવું ) જ્યારે મારા જ્ઞાનમાં પણ થાય છે ત્યારે જોવાવાળો ( –જ્ઞાતાદ્રષ્ટા ) ‘હું છું’ (એમ નિશ્ચય આવે છે). આહા... હા... હા! જ્યારે પર્યાયની દષ્ટિ છૂટીને, ૫૨નું લક્ષ છૂટીને અંતરમાં જાય છે, ત્યારે ‘ ક્રમબદ્ધ’ નો નિર્ણય, પોતાના પરિણામનો નિર્ણય થાય છે. આ પહેલી લીટીનો અર્થ છે. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા ” –ક્રમસર-આધાંપાછાં નહીં.
66
1,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com