________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૧૦૭ થઈ ગયો, હવે એને છોડાય કેમ? એને પ્રતીતિમાં આત્મા પણ એ રીતે થઈ ગયો બરાબર. હવે એને શી રીતે છોડવું?
અહીં કહે છે: પ્રભુ! એકવાર પરભાવથી વિરકત થા. “વિરકત થા” માં કેમ વિરકત શબ્દ મૂક્યો? કેઃ સ્વચેતનમૂર્તિ શુદ્ધ ચેતન છે, તેમાં રક્ત થા. કેમકે તે સ્થિતિ (સ્થિરતા ) થવાનું સ્થાન છે.
સમયસાર' નિર્જરા અધિકાર ગાથા-૨૦૩માં આવે છે ને...! “Oાતાનું સ્થાન છે” અર્થાત (રહેનારનું) રહેઠાણ છે. જેને રહેવું હોય, એનું રહેઠાણ-સ્થાન એ ભગવાન ધ્રુવ છે. પર્યાય રહેઠાણ-સ્થાન નથી. પર્યાય તો ફરતી (ચીજ ) છે.
આહા. હા! “પરભાવથી વિરકત થા”. મોટા પુસ્તક (“શ્રીમદ્ રાજચંદ્ર') માં તેરમે પાને છે. “પરભાવ” –ચોખ્ખી ભાષા મૂકી–એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યાના વિકલ્પ ઊઠે -એ પરભાવ છે. શાસ્ત્ર-વાંચન એ પરભાવ છે. શ્રવણ કરવામાં વિકલ્પ ઊઠે એ પણ પરભાવ છે. (માટે) સ્વભાવમાં ૨ક્ત થા, પરભાવથી વિરક્ત થા. લ્યો! આ એક શબ્દ એ બધાનો
સાર” છે. આ બાર અંગની ટીકાનો બધો વિસ્તાર “આ” છે કે ભગવાન આત્મા આનંદકંદ પ્રભુએ સ્વદ્રવ્ય-માં રક્ત થા. રક્ત કહો, રમણતા કહો, સ્થિરતા કહો, લીનતા કહો (બધું એક જ છે ). અને પરભાવની રમણતા-લીનતા-એકાગ્રતાથી વિરક્ત થા.
વ્રત લીધાં માટે વિરક્ત થયો, વિરતિ થયો...! પણ હજી અંદર રાગ છે, એને પોતાનો માન્યો છે; એનાથી તો વિરતિ થઈ નથી. અંદર રાગનો વિકલ્પ ઊઠે છે, એનાથી તો વિરક્તિ નથી. તો વિરક્તિ (-વિરતિ ) આવી ક્યાંથી? અવ્રતી તે વિરક્ત નથી અને વ્રતી તે વિરતિ છે. પણ કોણ? (ક) જેને અંદર રાગથી વિરક્તિ થઈ છે; જેને અંદર પુણ્ય અને દયા-દાનવિકલ્પથી વિરક્તિ થઈ છે; તેને આત્મામાં રક્તપણું હોય છે. અને વિરક્તિ આગળ વધતાં વિશેષ વિરક્તિ થાય; અસ્થિરતાની પણ વિરક્તિ થાય, ત્યારે તેને ચારિત્ર કહેવામાં આવે છે. પણ પહેલેથી જ જેની દષ્ટિમાં વિરક્તિ નથી, એને વિરક્તિ થાય અને વિરક્ત થાય એ હોઈ શકતું નથી.
“પરભાવથી વિરક્ત થા.” આ છેલ્લો સરવાળો મૂક્યો છે. સમજાણું? પરભાવમાં તો જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ પરભાવ છે. આહા... હા! “પરભાવથી વિરક્ત થા” એમાં આવી ગયું ને..! પરદ્રવ્યની ધારકતા-રમણતા-ગ્રાહકતા-એમાં એ તીર્થકરગોત્ર બાંધે, એ શુભભાવ આવી ગયો; એ ભાવને પણ ગ્રહણ ન કરે. એમાં રમણ ન કર. આહા.... હા !
હવે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય અને તીર્થંકર થાય; પણ તીર્થંકર તે પ્રકૃતિથી થાય છે? –એ તો સ્વદ્રવ્યનો આશ્રય લઈ અને કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com