________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
आत्मा आत्मा एव परः एव परः आत्मा परः एव न भवति। पर एव कदाचिदपि आत्मा नैव नियमेन प्रभणन्ति योगिनः।। ६७।।
આત્મા આત્મ જ ૫૨ જ ૫૨, આત્મા ૫૨ ન જ થાય; પર કદી આત્મા ન જ બને, નિશ્ચય મુનિઓ ગાય. ૬૭
આત્મા આત્મા જ છે, અને પર પર જ છે, આત્મા પરદ્રવ્ય નથી અને પરદ્રવ્ય કોઈ સમયે આત્માપણે પરિણમતું નથી એમ નિશ્ચયથી યોગીઓ
કહે છે.
કેવલજ્ઞાનાદિ સ્વભાવવાળો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે અને કામ, ક્રોધ આદિ ભાવ જે પર તે પર જ છે. પૂર્વોક્ત પરમાત્મા પોતાનો સ્વભાવ ત્યાગી કામ-ક્રોધાદિરૂપે થતા નથી તથા કામ-ક્રોધાદિ જે પર છે તે કયારે પણ શુદ્ધાત્મા થતા નથી, એમ પરમ યોગીઓનું કથન છે. માટે કામ-ક્રોધાદિથી જુદો એવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૬૭
શુદ્ધનિશ્ચયનયથી આત્મા જન્મ-મરણ બંધ તથા મોક્ષને પણ કરતો
નથી
ण वि उप्पज्जइ ण वि मरइ, बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थें जोइया जिणवरु एउँ भणेइ।।६८।। नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति। जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति।। ६८।। યોગિન, પરમાર્થે કદી, ઊપજે મરે ન જીવ;
બંધ મોક્ષ પણ ના કરે, જિનવર કહે સદૈવ. ૬૮
હે યોગી, નિશ્ચયનયથી આ જીવ ઉત્પન્ન પણ થતો નથી, મરતો પણ નથી અને બંધ તથા મોક્ષને પણ કરતો નથી, એમ શ્રી જિન ભગવાન કહે છે.
જોકે આત્મા શુદ્ધાત્માનુભૂતિના અભાવમાં શુભ-અશુભ ઉપયોગમાં પરિણમી જન્મ-મરણના કારણરૂપ એવાં શુભાશુભ કર્મ બાંધે છે અને શુદ્ધાત્માનુભૂતિ (શુદ્ધ સ્વાનુભવ) પ્રગટ થવાથી શુદ્ધોપયોગમાં પરિણમી આ જીવ મોક્ષનો પણ કર્તા થાય છે, તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા બંધ તથા મોક્ષનો કર્તા નથી.
આ કથન સાંભળી શિષ્ય પ્રશ્ન કરે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જીવ જો મોક્ષનો કર્તા નથી તો પછી શુદ્ધનયથી મોક્ષ પણ નથી અને તેથી મોક્ષ માટે કરેલો પુરુષાર્થ નિષ્ફલ સિદ્ધ થાય છે. તે શંકાનો પરિહાર કરે છે. મોક્ષ બંધપૂર્વક થાય છે એટલે મોક્ષને બંધની અપેક્ષા છે. તે બંધ શુદ્ધ નિશ્ચયનયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com