________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
ક્ષપક શ્રેણિવાળો જીવ દશમામાંથી બારમા ગુણસ્થાને જાય છે, અગિયારમાને સ્પર્શતો નથી. અહીં યથાખ્યાતચારિત્ર પ્રગટે છે. બારમાના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો સર્વથા અભાવ કરી કેવલજ્ઞાન પામે છે. મોહનીય કર્મનો ક્ષય દશમામાં પ્રથમ થઈ જાય છે. એમ ઘાતીયા કર્મોનો ક્ષય થવાથી આત્મા તેરમે ગુણસ્થાને અરિહંત પરમાત્મા બને છે, ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે.
ચોથા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે તથા જ્યાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં તેરમે ગુણસ્થાને આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધતા પરમાત્મામાં જ પ્રગટે છે. ૧ર આત્માના ત્રણ ભેદ તથા બહિરાત્માનું લક્ષણ
मूद वियक्खणु बंभु परु अप्पा ति -विहु हवेइ। देहु जि अप्पा जो मुणइ सो जणु मूदु हवेइ।।१३।। मूढो विचक्षणो ब्रह्मा परः आत्मा त्रिविधो भवति। देहमेव आत्मानं यो मनुते स जनो मूढो भवति।।१३।। મૂઢ, વિચક્ષણ, બ્રહ્મ પર, આત્મા ત્રિવિધ પિછાણ;
દેહ જ આત્મા જે ગણે, મૂઢ તેહને જાણ. ૧૩
મૂઢ, બહિરાત્મા, વિચક્ષણ, અંતરાત્મા અને પરબ્રહ્મ, પરમાત્મા એમ આત્મા ત્રણ પ્રકારે છે. જે દેહને જ આત્મા માને છે તે પ્રાણી બહિરાત્મા છે.
મિથ્યાત્વ રાગાદિમાં પરિણમેલો આત્મા બહિરાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો આત્મા અંતરાત્મા છે તથા શુદ્ધ-બુદ્ધ એક જ્ઞાયક સ્વભાવવાળો આત્મા પરમાત્મા કહેવાય છે. શુદ્ધ એટલે રાગાદિ રહિત તથા બુદ્ધ એટલે અનંત જ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, પરમાત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ, તથા નોકર્મથી પણ રહિત છે. આ પ્રકારે આત્મા ત્રણ ભેજવાળો છે.
- જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી પ્રગટેલા સદા આનંદ રૂપ એક સુખામૃત સ્વભાવને પામ્યા નથી અને દેહને જ આત્મા માને છે તે આત્મા બહિરાત્મા છે. બહિરાત્મા હોય છે. તેની અપેક્ષાએ જોકે અંતરાત્મા ઉપાદેય છે તો પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત એવા પરમાત્માની અપેક્ષાએ તે પણ હેય છે. શુદ્ધ સહુજાત્મસ્વરૂપ પરમાત્મા જ એક આરાધવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય સર્વ પ્રકારે ઉપાદેય છે. ૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com