________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરું છું.
केवल-दंसण-णाणमय केवल-सुक्ख-सहाव। जिणवर वंदउँ भत्तियए जेहिँ पयासिय भाव।।६।। केवलदर्शनज्ञानमयान् केवलसुखस्वभावान्। जिनवरान् वन्दे भक्त्या यैः प्रकाशिता भावाः।। ६।। કેવલ દર્શન-જ્ઞાનમય કેવલ-સુખ-સ્વભાવ; જિનવર પ્રણમું ભાવથી, પ્રકાશતા જે ભાવ. ૬
જે કેવલદર્શન, કેવલજ્ઞાન તથા કેવલ સુખસ્વભાવમય છે તથા જેઓએ જીવાદિ પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કર્યા છે, તે અરિહંતોને હું ભક્તિભાવે નમન કરું છું.
કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ જે સહજ આત્મસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે, તેની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવરૂપ અભેદ રત્નત્રયમાં જેઓ પરિણમ્યા છે તથા સુખદુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્રતામાં સમતાભાવની સાથે રહેનારી નિર્વિકલ્પ સમાધિપૂર્વક શ્રી વીતરાગનો આત્મદર્શક ઉપદેશ પામી જે અનંત ચતુષ્ટયયુક્ત થયા છે, ત્યાર પછી જેઓએ જીવાદિ પદાર્થ, કે કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષનો અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રરૂપ ભેદ-અભેદવાળા મોક્ષમાર્ગનો પણ ઉપદેશ કર્યો છે એવા જિનવરોને હું નમ્રભાવે પ્રણામ કરું છું. અહીં અરિહંતના ગુણસ્વરૂપ એવું જે પોતાનું આત્મસ્વરૂપ છે તે સર્વદા સર્વપ્રકારે ઉપાદેય છે. ૬
ભેદભેદ રત્નત્રયના આરાધક એવા આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓને હું નમસ્કાર કરું છું.
जे परमप्पु णियंति मुणि परम समाहि धरेवि। परमाणंदह कारणिण तिण्णि वि ते वि णवेवि।।७।। ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधिं धृत्वा। परमानन्दस्य कारणेन त्रीनपि तानपि नत्वा।। ७ ।। મુનિયો પરમાત્મા જુએ પરમ સમાધિ- સ્થિત;
પરમાનંદ સુહેતુ હો પરમેષ્ઠી ત્રણ ચિત્ત. ૭
જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને જ્ઞાનચક્ષુથી પરમાત્માને દેખે છે તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેયને પરમાનંદની પ્રાપ્તિને અર્થે નમસ્કાર કરીને પરમાત્મપ્રકાશને હું કહીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com