SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ કાળ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને સંસારસાગર પણ અનાદિ છે. તોપણ અનાદિ કાળના પરિભ્રમણમાં આ જીવને ભગવાન જિનેન્દ્ર અને સમ્યગ્દર્શન આ બે વસ્તુ મળી નથી. કાળ, જીવ અને સંસાર આ ત્રણ વસ્તુઓ અનાદિ છે. તે સંસારમાં અનાદિથી પરિભ્રમણ કરતાં આ જીવને શુદ્ધાત્મ સ્વરૂપની ભાવના થઈ નથી. તે આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. પુણ્યકર્મના ઉદયથી તેને સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થઈ પણ આત્મજ્ઞાન રૂપ સમ્યગ્દર્શન અને ભગવાન જિનેન્દ્ર ન મળ્યા. આ જીવ અનાદિનો મિથ્યાષ્ટિ છે અને શુદ્ર દેવોનો ઉપાસક છે. આને ભગવાન જિનેન્દ્રની ભક્તિ પ્રાપ્ત થઈ નથી. અન્ય દેવોની ઉપાસનાને લીધે સમ્યગ્દર્શન પણ થયું નહિ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ હોવાને લીધે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ તે કહેવું તો ઉચિત છે, પણ જિન ભગવાન નથી મળ્યા એમ કેમ? શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે “ મવિ ભવિ નિણ પુષ્નિાં ગુરુ વંદ્રિય” એટલે ભવભવમાં ભગવાન જિનેન્દ્રને પૂજ્યા તથા ગુરુને વંદ્યા છે. અને આપ તો જિન ભગવાન નથી મળ્યા એમ કહો છો? તેનું સમાધાન-આ જીવને ભાવભક્તિ પ્રગટી નથી. ભાવભક્તિ તો સમ્યગ્દષ્ટિને જ હોય છે. મિથ્યાષ્ટિની લૌકિક ભક્તિ સંસારસુખને અર્થ થાય છે. તે મોક્ષમાર્ગમાં ઉપયોગી નથી. ભાવભક્તિ અજ્ઞાનીને હોતી નથી. સમ્યગ્દષ્ટિઓ જ જિન ભગવાનના સાચા દાસ છે. જ્યાં સુધી આત્મામાં સાચી ભક્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જિન ભગવાન મળ્યા હોય તોપણ ન મળ્યા બરાબર છે. - રાગદ્વેષ, અજ્ઞાન આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા છે તે જિન. અનંત ચતુય સહિત અને ક્ષુધાદિ અઢાર દોષ રહિત સર્વજ્ઞ વીતરાગ દેવ જિન ભગવાન છે તે જ પરમ આરાધ્ય છે. નિશ્ચયથી શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળું વીતરાગ સમ્યકત્વ છે અને વ્યવહારથી વીતરાગ સર્વજ્ઞ પ્રણીત જીવાદિ સાત તત્ત્વોની શ્રદ્ધારૂપ સરાગ સમ્યકત્વ છે. કોઈ સ્થળે ગાથામાં “ સિવસંમુ સમ્મg” પણ પાઠ છે તેથી તેનો અર્થ એ છે કે શિવ જે ભગવાન જિનેન્દ્ર તેઓની ભાવપૂર્વક આરાધના ન થઈ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. આ બે વસ્તુઓ અતિશય દુર્લભ છે. ૧૪૩ ગૃહવાસના દોષ બતાવે છે. घर-वासउ मा जाणि जिय दुक्किय वासउ एहु। पासु कयंतें मंडियउ अविचलु णिस्संदेहु।। १४४ ।। गृहवासं मा जानीहि जीव दुष्कृतवास एषः। पाशः कृतान्तेन मण्डितः अविचलः निस्सन्देहम्।। १४४ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy