SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૧ स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान्। पूर्व प्राण्यंतराणां तु पश्चात्स्याद्वा न वा वधः।। કષાયવાન આત્મા પોતે પોતાનો પોતા વડે પ્રથમ વિનાશ કરે છે. પછી અન્ય પ્રાણીઓનો તો નાશ થાય અથવા ન પણ થાય. માટે હે જીવ બીજાને મારવા ચૂરવારૂપ હિંસાથી કે પોતાના આત્માને વિભાવથી હુણવારૂપ ભાવહિંસાથી હવે તો થાક અને સ્વશુદ્ધ સહજાત્માની અનુભૂતિરૂપ પરમાનંદ દશા પ્રાપ્ત કરવા તત્પર થા. નહિ તો દ્રવ્ય-હિંસાથી પરજીવોને તું જે જે દુઃખ દઈશ તેથી અનંતગણું દુઃખ તારે પોતાને આ ભવ-પરભવમાં ભોગવવું પડશે. ૧૨ जीव वहंतहँ णस्य-गइ अभय-पदाणे सग्गु। बे पह जवला दरिसिया जहिं रुच्चइ तहिं लग्गु।।१२७।। जीवं घ्नतां नरकगतिः अभयप्रदानेन स्वर्गः। द्वौ पन्थानौ समीपौ दर्शितौ यत्र रोचते तत्र लग।। १२७ ।। નરક ગતિ જીવ મારતાં, અભયદાનથી દેવ; દર્શાવ્યા બે માર્ગ આ, હવે રુચે તે સેવ. ૧૨૭ જીવોને મારવાથી એટલે વધ કરવાથી નરકગતિ થાય છે અને તેમની રક્ષા કરવાથી એટલે અભયદાનથી સ્વર્ગ મળે છે. આ બન્ને માર્ગ તમારી સમીપ બતાવ્યા છે. હવે જેમાં તમારી રુચિ હોય તેમાં ઝુકાવો, પ્રવર્તે. નિશ્ચયનયથી મિથ્યા રાગાદિ પરિણામરૂપ સ્વાઘાત અને વ્યવહારનયથી પરજીવોના દશ પ્રાણોને ઘાતવારૂપ હિંસાથી જીવ દુર્ગતિમાં નરકમાં જાય છે. અર્થાત્ હિંસા કરનાર દુર્ગતિમાં જાય છે અને પરજીવોની રક્ષા રૂપ અભયદાનથી જીવ સ્વર્ગ પામે છે. વળી સ્વભાવમાં રહેવારૂપ સ્વરક્ષાથી કોઈ કોઈ જીવ શુદ્ધોપયોગના પ્રતાપથી મોક્ષ પણ પામે છે. માટે આ બેમાંથી જે રુચે તે કરો. આવું કથન સાંભળી કોઈ અજ્ઞાની જીવ તર્ક કરે છે કે પ્રાણો જીવથી જુદા છે કે નહિ? જો પ્રાણો જીવથી જુદા ન હોય તો જેમ જીવ અવિનાશી છે તેમ પ્રાણ પણ અવિનાશી ગણાશે. તેથી જીવની સમાન પ્રાણોનો પણ નાશ નહિ થાય અને તેમ થવાથી હિંસા બની શકે નહિ. અથવા જો જીવથી પ્રાણ જુદા છે અર્થાત્ સર્વથા ભિન્ન જ છે તો પ્રાણઘાતથી જીવની હિંસા થઈ શકે નહિ. તેથી એમ માનવાથી હિંસા સિદ્ધ થતી નથી. તો પછી જીવહિંસામાં પાપ કયાંથી થાય? તેનું સમાધાન-ઇન્દ્રિય આદિ દશ પ્રાણ કોઈ રીતે કોઈ દષ્ટિબિંદુથી જીવથી જુદા પણ છે અને જુદા પણ નથી. ભગવાન સર્વજ્ઞની વાણી નયાત્મક છે. આગમમાં નિશ્ચયનય તથા વ્યવહારનયની અપેક્ષાથી પદાર્થોનું કથન છે. એ અપેક્ષા સમજવાથી વસ્તુતત્ત્વની સિદ્ધિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy