________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૦૦
लोकाकाशं धृत्वा जीव कथितानि द्रव्याणि यानि । एकत्वे मिलितानि अत्र जगति स्वगुणेषु निवसन्ति तानि ।। २५ ।। જગમાં આ દ્રવ્યો રહ્યાં, લોકાકાશાધાર;
એક ક્ષેત્ર અવગાહીને; નિજ નિજ ગુણ વસના૨. ૨૫
હૈ જીવ, આ જગતમાં જે દ્રવ્યો કહ્યાં છે, તે બધાં લોકાકાશમાં સ્થિતિ કરીને રહેલાં છે–અર્થાત્ દ્રવ્યો લોકાકાશથી બહાર નથી. આ દ્રવ્યો એક ક્ષેત્રમાં એક સાથે રહેવા છતાં નિશ્ચયથી પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના ગુણમાં રહે છે. બીજા દ્રવ્યમાં મળી જતાં નથી.
જોકે ઉપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આધાર-આધેયભાવથી એક ક્ષેત્રને અવગાહીને દ્રવ્યો રહે છે, તોપણ શુદ્ધ પારિણામિક પરમભાવને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ૫દ્રવ્યમાં મળવારૂપ સંકર દોષથી રહિત છે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જતું નથી એટલે કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સામાન્ય તથા વિશેષ ગુણોને ત્યાગીને પરરૂપે પરિણમતાં નથી.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-આગમમાં લોકાકાશને અસંખ્યાત પ્રદેશવાળું કહ્યું છે તે અસંખ્યાત પ્રદેશી લોકમાં અસંખ્યાત પ્રદેશવાળા જીવદ્રવ્યો અને તેમાં એક એક જીવમાં કર્મ-નોકર્મરૂપે અનંત પુદ્દગલ પરમાણુ દ્રવ્યો છે; અને તે પરમાણુઓ કરતાં અનંતગણા શેષ પુદ્દગલ દ્રવ્ય છે, તે સર્વ અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શી રીતે રહી શકે? અલ્પ ક્ષેત્રમાં મહાન પ્રમાણવાળી વસ્તુ શી રીતે સમાય?
શ્રી ગુરુ તેનું સમાધાન કરે છે-આકાશમાં અવકાશદાન (જગા આપવાની )ની શક્તિ છે તેથી બધાં દ્રવ્યો સમાન છે. જેમ એક ગૂઢ નાગરસ ગુટિકામાં શત-સહસ્ત્ર લક્ષ પ્રમાણ સોનામહો૨ સમાવેશ પામી જાય છે, અથવા એક દીપકના પ્રકાશમાં ઘણા દીવાઓનો પ્રકાશ અવકાશ પામે છે, તેમ લોકાકાશમાં વિશિષ્ટ અવગાહન શક્તિના યોગથી અનંતજીવ અને અનંતાનંત પુદ્દગલો અવકાશ પામે છે. એમાં કોઈ વિરોધ નથી. જીવોમાં પણ અવગાહન શક્તિ છે-કહ્યું છે કે
एगणिगोदसरीरे जीवा दव्वप्पमाणदो दिट्ठा। सिद्धेहिं अनंतगुणा सव्वेण वितीदकालेण ।।
દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધની રાશિ કરતાં અને સંપૂર્ણ અતીત કાળના સમયો કરતાં અનંતગણા જીવ એક નિગોદના શરીરમાં રહે છે. ૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com