________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માની ભોગોની આકાંક્ષાદિરૂપ સમસ્ત વિકલ્પસમુદાય વર્જવા યોગ્ય છે. કહ્યું છે કે
हस्ते चिन्तामणिर्यस्य गृहे यस्य सुरद्रुमः।
कामधेनुर्धनं यस्य तस्य का प्रार्थना परा।। જેના હાથમાં ચિંતામણિ છે, ઘેર કલ્પવૃક્ષ છે તથા જેનું કામધેનુ ધન છે, તેને અન્ય પ્રાર્થના કરવાની શી જરૂર? તેમ જેની પાસે સમ્યકત્વ છે તે જીવને બીજા પદાર્થોની આવશ્યકતા શી? ૧૫
दव्वहँ जाणहि ताहँ छह तिहुयणु भरियउ जेहिं। आइ-विणास-विवज्जियहिं णाणिहि पभणियएहिं।। १६ ।। द्रव्याणि जानीहि तानि षट् त्रिभुवनं भृतं यैः। आदिविनाशविवर्जितैः ज्ञानिभिः प्रभणितैः।। १६ ।। જાણ દ્રવ્ય એ છ રહ્યાં, ત્રિભુવન જેથી ભરેલ;
આદિ અંત રહિત એ, જ્ઞાનીગણે કહેલ. ૧૬
જે છ દ્રવ્યો વડે આ ત્રણે લોક ભરેલા છે તે દ્રવ્યોને તું જાણ. જ્ઞાનીઓએ તે દ્રવ્યોને આદિ તથા અંત રહિત કહ્યાં છે.
આ લોક છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે, અનાદિનિધન છે તથા એનો કોઈ કર્તા એટલે બનાવનાર પણ નથી તેમ જ કોઈ નાશ કરનાર પણ નથી. સ્વભાવથી આ પ્રમાણે છે.
જોકે છ દ્રવ્યોની શ્રદ્ધાને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ સમ્યત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધસહજાત્મા જ છે તે ઉપાદેય છે. ૧૬
છ દ્રવ્યોનાં નામ કહે છે
जीउ सचेयणु दव्वु मुणि पंच अचेयण अण्ण। पोग्गलु धम्माहम्मु णहु कालें सहिया भिण्ण।।१७।। जीवः सचेतनं द्रव्यं मन्यस्व पञ्च अचेतनानि अन्यानि। पुद्गलः धर्माधर्मी नभः कालेन सहितानि भिन्नानि।।१७।। જીવ સચેતન દ્રવ્ય ગણ, પાંચ અચેતન અન્ય; પુદ્ગલ ધર્માધર્મ નભ, કાલ સહિત વિભિન્ન. ૧૭ હે શિષ્ય, છ દ્રવ્યોમાં એક જીવ સચેતન દ્રવ્ય છે એમ તું જાણ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com