________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૫
પરમાગમસાર] તે જ્ઞાનનો પોતાનો દોષ છે. ૧૮૫.
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે તેમાં તે વખતે ઉદાસીન છે કે શુભભાવથી ખસીને આત્મામાં જાય તે ઉદાસીનતા છે?
| ઉત્તર - સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે તેમાં તે વખતે ઉદાસીન છે અને તેમાંથી ખસીને આત્મામાં જાય તે તો વીતરાગતા છે જ પણ શુભભાવ વખતે પણ ઉદાસીન છે. ૧૮૬.
પ્રશ્ન:- સમ્યગ્દર્શન થયા પછી વિકારભાવ તે દુ:ખરૂપ છે તેમ ખરો ખ્યાલ આવે ને?
ઉત્તર:- સમ્યગ્દર્શન થયા પછી વિકારનું દુઃખ ખરેખર ભાસે છે, પણ તે પહેલા પણ પર તરફ વલણ જાય છે તેમાં આકુળતા થાય છે, એટલો તો જિજ્ઞાસુને ખ્યાલ આવે છે, તેથી તે વિકારથી ખસીને સ્વભાવ તરફ વળે છે. ૧૮૭.
પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી તત્ત્વની આ બધી વાત સમજવામાં આવે કે પહેલાં પણ આવે?
ઉત્તર:- સમ્યગ્દર્શન થયા પહેલાં પ્રયોજનભૂત નવતત્ત્વની બધી વાત લક્ષમાં આવે છે પછી અનુભવ થાય છે. વસ્તુનું સ્વરૂપ શું છે, મુનિપણું ને કેવળજ્ઞાન શું છે, હું કોણ છું, વિગેરે નવતત્ત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જે રીતે છે તે રીતે પહેલાં લક્ષમાં આવે પછી અનુભવ થાય છે. ૧૮૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com