________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
| [ ૨૬૭ ને જાણે તો યથાર્થ શ્રદ્ધા થાય, માટે તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે. ૯૬૩.
લાખો માણસો કદાચ ઉપદેશનાં નિમિત્તે સમજે તો તેનો લાભ ઉપદેશ કરનારને નથી. વાણીનું પરિણમન આત્માને આધીન નથી. પરદ્રવ્યનું પરિણમન ભિન્ન છે. જીવ-અજીવનું શ્રદ્ધાન કરીને પોતાના હિત માટે પરથી ઉદાસીન થાય એમ (શાસ્ત્રોમાં ) કહ્યું છે, પણ પરને નિમિત્ત હું થાઉં એમ કહેલ નથી. ૯૬૪.
સ્વ-પરનું શ્રદ્ધાન થતાં પોતાને પરથી ભિન્ન જાણે તો પોતાના આશ્રયે સંવર-નિર્જરારૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપાય કરે અને પોતાથી ભિન્ન પરદ્રવ્યો છે એમ શ્રદ્ધાન થતા પરને લક્ષે પુણ્ય-પાપ, આસવ-બંધ થાય છે, તેને છોડવાનું શ્રદ્ધાન થાય છે. પોતાને પરથી ભિન્ન જાણતાં પોતાના હિતને અર્થે પ્રવર્તે અને પોતાથી પરને ભિન્ન જાણતાં તેના પ્રત્યે ઉદાસીન થાય અને રાગાદિ છોડવાનું શ્રદ્ધાન થાય એમ સામાન્ય રીતે જીવ-અજીવ બન્ને જાતિને જાણે તો મોક્ષ થાય. ૯૬૫.
પ્રશ્ન - વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન કરવું કહ્યું તેનું શું પ્રયોજન છે?
ઉત્તર:- અભિનિવેશનો અર્થ અભિપ્રાય થાય છે. જેવો તત્ત્વાર્થ શ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેથી વિપરીત અભિપ્રાય થતાં વિપરીત અભિનિવેશ થાય છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો અભિપ્રાય હોવો જોઈએ, તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય તેનો નિશ્ચય કરવો એટલો જ નથી. પરંતુ જીવ-અજીવને જુદા જાણી, પોતાને પરથી જુદો જાણવો. ૯૬૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com