________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૩૫ રાગ શેયપણે ભાસે છે. યોગ્યતા અનુસાર રાગ થાય તેનું કયારે સાચું જ્ઞાન થાય ? –કે જ્ઞાતા એની દષ્ટિમાં આવે ત્યારે યોગ્યતાનું સાચું જ્ઞાન થાય. રાગ ઉપર દષ્ટિ પડી હોય અને ક્રમબદ્ધમાં રાગ હતો, યોગ્યતામાં રાગ હતો એમ બોલે તે ન ચાલે! પર્યાય અંદરમાં વળીને દૃષ્ટિમાં દ્રવ્યને પકડે ત્યારે ક્રમબદ્ધ યોગ્યતા આદિનું સાચું જ્ઞાન થાય છે. ૪૮૩.
પ્રશ્ન- શેયને જાણવાથી રાગ-દ્વેષ થાય કે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગ-દ્વેષ થાય?
ઉત્તરઃ- પરશેયને જાણવા ગયો (પરની સન્મુખ થવું) તે જ રાગ છે. ખરેખર પરશેયને જાણવા જવું પડતું નથી. ૪૮૪.
આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધનયથી હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું- એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે ને મનના વિકલ્પમાં આવ્યો છે પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે. તે આગળ વધતા મન સંબંધી વિકલ્પોને જલદી વમી નાખીને નિર્વિકલ્પ થાય છે. ૪૮૫.
અનંત અનંત ગુણોનો સાગર એવા ભગવાન આત્માના અનંતા અનંતા ગુણથી વિરૂદ્ધભાવ જે મિથ્યાત્વ તેના ગર્ભમાં અનંતાનંત ભવ પડ્યાં છે, તેથી પહેલાં તેને છોડવો જોઈએ. અનંત ગુણના ભંડાર ભગવાનથી વિરુદ્ધ શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વભાવ તેમાં અનંતા અનંતા ગુણોનો અનાદર છે. અનંતા ગુણનો લાભ સ્વ-આશ્રયથી થાય છે. એમ ન માનતાં પર-આશ્રિત એવા રાગભાવમાં જેણે પોતાપણું માન્યું છે તેણે અનંતા ગુણોનો અનાદર કર્યો છે. અનંતાનંત ગુણ છે તેનો અનાદર કરીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com