________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૦૭ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા જ કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય અને પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી ફડાક દઈને અંદરમાં ઉતરી જાય છે. એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! અને સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ અનુકૂળતાનું લક્ષ છોડી અંદરમાં ઉતરી જાય છે, અને અહીં જરાક પ્રતિકૂળતા હોય તો અરે મારે આમ છે ને તેમ છે-તેમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો! હવે એનું લક્ષ છોડીને અંદરમાં ઉતરી જા ને! ભાઈ ! આના વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૩૯૪.
અહો ! આ આત્મતત્ત્વ તો ગહન છે, એને આંખો મીંચીને, બહારના પાંચે ઈન્દ્રિયનો વેપાર બંધ કરીને, મનના સંબંધથી વિચાર કરે કે અહો ! આ આત્મવસ્તુ અચિંત્ય છે. જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક જ છેએવો વિકલ્પથી નિર્ણય કરે છે તે હજુ પરોક્ષ નિર્ણય છે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ સ્વાનુભવ નથી થયો માટે તેને પરોક્ષ કહ્યો. મનથી બહારનો બોજો ઘણો ઘટાડી નાખે ત્યારે મનથી અંદરના વિચારમાં રોકાય અને ત્યાંથી પણ પછી ખસીને અંદર સ્વભાવના મહિનામાં રોકાય એને આનંદનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કહે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે ને તેને પામવાનો આ ઉપાય છે. આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. સ્વભાવનો આશ્રય તો મૂંઝવણને ટાળી નાખે છે. અત્યારે લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા છે. તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી. ૩૯૫
આહાહા ! ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે. ક્યાં શરીર ને ક્યાં આત્મા ! એને શેઢે કે સીમાડે મેળ નથી. આહા ! આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે ને આવો વીતરાગનો માર્ગ મહા ભાગ્ય મળ્યો છે તેને મનનો ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. પાંચ ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com