SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાગમ – ચિંતામણિ) (૩૩૯ * “મનુષ્યપણું, આસ ઉપદિષ્ટીત શ્રતધર્મનું શ્રવણ, તે પ્રત્યે શ્રદ્ધા, અને અંતમાં સંયમને વિષે – પરાક્રમનું ખર્ચવું એ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે – એમ જાણી ઉપરોક્ત ચાર પરમ મંગલમાંથી મળેલ મનુષ્યપણાને બાકીના ત્રણ પરમ મંગલથી અંલકૃત કરો, શોભાવો!” રાજપદ તો શું પણ તેથીએ ઉત્કૃષ્ટ અનુપમ લક્ષ્મીના હેતુભૂત ધર્મને પ્રાપ્ત કરવાની આ અપ્રાપ્ય મોસમમાં કુસકા (વિનાશી વિભૂતિ) લેવા ભણી દોડી વ્યર્થ કાળ વ્યય કરવો એ સુબુદ્ધિમાનને યોગ્ય નથી. રાજ્યાદિ વિનાશી ચપળ વિભૂતિ તો ધર્મ માર્ગે પ્રયાણ કરતાં વચ્ચે વચ્ચે સહેજે આવી મળશે. એ તરફની અતિ ઘેલી આતુરતા છોડો. ૧૭૮૧. (શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૯૫ ) * * * * જો પુરુષ પુણ્યકો ધર્મ જાનકર શ્રદ્ધાન કરતે હૈ, પ્રતીતિ કરતે હૈ, રુચિ કરતે હૈ ઔર સ્પર્શ કરતે હૈં ઉનકે “પુણ્ય” ભોગકા નિમિત્ત હૈ ઇસસે સ્વર્ગાદિક ભોગ પાતા હૈ ઔર વહુ પુણ્ય કર્મક ક્ષયકા નિમિત્ત નહીં હોતા હૈ, યહ પ્રગટ જાનના ચાહિયે. ૧૭૮૨. (શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૮૪) * જે વચન જીવોનું ઇષ્ટ-હિત કરનારું હોય તે વચન અસત્ય હોય તો પણ સત્ય છે અને જે વચન પાપસહિત હિંસારૂપ કાર્યને પુષ્ટ કતું હોય તો તે સત્ય હોય તો પણ અસત્ય અને નીંદનીય છે. ૧૭૮૩. ( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૯ ગાથા-૨) * * * * જો ઝુંપડીમાં આગ લાગી જાય તો તે ઝૂંપડીમાં લાગેલી અગ્નિ ઝુંપડીને જ બાળે છે, પરંતુ તેની અંદર રહેલા આકાશને (-ખાલી જગ્યાને) બાળતી નથી; તેવી રીતે જે શરીરમાં નાના પ્રકારે રોગ ઉત્પન્ન થાય છે તે રોગ તે શરીરને જ નષ્ટ કરે છે, પરંતુ તે શરીરમાં રહેલા નિર્મળ જ્ઞાનમય આત્માને નષ્ટ કરતો નથી. ૧૭૮૪. (શ્રી પદ્મનંદી આચાર્ય, પાનદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત, ગાથા-૨૩) * મેં અનુભવથી જાણ્યું છે કે આ આત્મા મહા શક્તિશાળી છે, ચમત્કારી કારણ કે એકલો જ સર્વલોક અંતરમાં (જ્ઞાનમાં) સમાવી દે છે. ૧૭૮૫. (શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૪, ગાથા-૧૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy