SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪) (પરમાગમ – ચિંતામણિ * (ભાવ-સતવ્યસનનું સ્વરૂપ ) અશુભકર્મના ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં વિજય માનવો એ ભાવ – જુગાર છે, શરીરમાં લીન થવું એ ભાવ-માંસ-ભક્ષણ છે, મિથ્યાત્વથી મૂચ્છિત થઈ સ્વરૂપ ભૂલી જવું એ ભાવ – મધપાન છે, કબુદ્ધિના રસ્તે ચાલવું એ ભાવ-વેશ્યાસેવન છે, કઠોર પરિણામ રાખીને પ્રાણીનો ઘાત કરવો એ ભાવશિકાર છે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી તે ભાવ-પરસ્ત્રીસંગ છે, અનુરાગ પૂર્વક પરપદાથોનું ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવ-ચોરી છે. આ જ સાતે ભાવ-વ્યસન આત્મજ્ઞાનનું વિદારણ કરે છે અર્થાત્ આત્મજ્ઞાન થવા દેતા નથી. ૧૭૦૨. (શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ - ૨૯) * મિથ્યાત્વથી ઉત્પન્ન જે મોહ, તેનાથી ધતૂરાથી ઊપજેલ મોહુ સારો છે. દર્શનમોહ અનંતાનંત જન્મ-મરણ વધારે છે, ધતૂરો અલ્પકાળ ઉન્મત્ત કરે છે. મિથ્યાદર્શન અનંતાનંતભવ પર્યત જીવને અચેત કરી કરી મારે છે. માટે જન્મ – મરણના દુ:ખથી ભયભીત હોય તે મિથ્યાત્વનો ત્યાગ કરે છે. ૧૭૦૩. ( શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૭૩૧) * * * * ઈસ દેહુકા ઉવટના કરો, તૈલાદિકકા મર્દન કરો, શૃંગાર આદિ સે અનેક પ્રકાર સજાઓ, અચ્છે અચ્છે મિષ્ટ આહાર દેઓ, લેકિન યે સબ યત્ન વ્યર્થ હૈ, જૈસે દુર્જનોના ઉપકાર કરના વૃથા હૈ, ૧૭૦૪. ( શ્રી યોગેન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ ગાથા-૧૪૮) * બુદ્ધિમાનકો ઉચિત હૈ કિ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટસ્વરૂપકો પહચાને, આત્મજ્ઞાનરૂપી અંકુરકો પાકર ઉસકે મિલનેમેં બડા હી હર્ષ માને. યદિ શરીરને સ્વભાવમં લીન હો ઔર જ્ઞાનમેં વિન ડાલે તો વહ અંતરાયકર્મ બાંધે, જો દુઃખોંકા બીજ હૈ. ૧૭૦૫ (શ્રી તારણસ્વામી ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૩૮૩) * મિથ્યાષ્ટિ જીવ તરવાર, વિજળી, ભયંકર દાવાનળ, વાઘ, ગ્રહ તથા કાળા સર્પ સમાન છે. તે દુર્ગતિમાર્ગને જ ભલો સમજે છે. હું સાધુ! તેને સ્થાન-નિવાસ આપીશ નહિ. મિથ્યાદષ્ટિ જીવ તરવાર વિગેરેની જેમ આત્માનો નાશ કરે છે. ૧૭૦૬ (શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પંચાચાર અધિકાર, ગાથા-૨૫૦) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy